________________
૮૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
- 122 અંતે નિર્ણય કરી ગુરુ પાસે આવી હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું કે “ભગવંત ! આટલી આટલી રીતે મેં તપાસ કરી, તેના આધારે મને જણાયું છે કે ગંગા પૂર્વ તરફ વહે છે, પછી તો આપ જાણો તે ખરું.” આટલી તપાસ કર્યા પછી પણ પાછા “આપ જાણો તે ખરું' એમ જ કહે છે. કેટલો વિનય ! વિનયની અવધિ છે ને ? રાજાને આચાર્ય ભગવંતની વાત કબૂલી લેવી પડી.
નિયમ વિના ક્યાંય કામ ચાલતું નથી. અરે રસોડામાં પણ નિયમ મુજબ જ બધું કરવું પડે. ઘી વાઢીમાં જ કઢાય, બરણી ઊંધી ન વળાય.વાઢીમાં કાઢો ને પાછી તેમાં ચમચી જ રાખો. ત્યાં નિયમ ન રાખોને વાઢી ઊંધી વાળ્યા કરો તો ભીખ જ માગવી પડે. લાકડાં ઓલવવા માટે પાણી જ છંટાયું, ત્યાં દૂધ કે ઘી ન છંટાય. બધે નિયમની જરૂરિયાત સ્વીકારો છો; ફકત અહીં જ નહિ; તો એ કેમ ચાલે ? નિયમ વિનાના જીવનની વાતો કરનારા તો ઉશ્રુંખલ કહેવાય. રાજતંત્રની સામે થવાને એ લાયક નથી. પહેલાં યથેચ્છ વર્તન કરનારા પોતાના આત્માની સામે તો થતાં શીખે ? પછી બીજાની સામે થવા જાય તો શોભે. તોય તમે નિયમિત ન બન્યા?
હજારોના પગારદાર ઑફિસરો પણ કેટલા નિયમિત હોય છે ? વહેલા ઊઠીને સવારના સાત વાગ્યામાં તો તૈયાર થઈ જાય છે. શ્રાવક ચાર ઘડી સૂર્યોદય પહેલાં ઊઠે; પણ તમે તો બધા ચાર ઘડી પછી ઊઠો છો ને ? લાંબો ફરક નથી. આ રાજ્ય તમને આવું શીખવ્યું છે ? ના. નાટક્યટકમાં કે હોટેલ સિનેમાદિમાં જવાનું રાજ્ય કહ્યું છે ? લખપતિની જેમ ઠાઠમાઠથી રહેવાનું રાજ્ય કહેતું નથી. “પાડોશી પાસે આટલા, તો મારી પાસે કેમ નહિ ? માટે ગમે ત્યાંથી ઉઠાવગીરી કરીને પણ લાવું,” આ ભાવના કોણ શીખવી ? શેઠ પણ નોકર અને નોકર પણ નોકર, એવી આજની હાલત છે. અંગ્રેજ દુકાનદારોનો કાયદો કે અગિયારથી છ સુધી જ દુકાન ખુલ્લી. ત્યાં સુધીમાં ગ્રાહક આવે તો આવે, પછી ગ્રાહક આવે જ નહિ. આવે તો ભલે પાછો જાય. તમારી પેઢીનો તો ટાઇમ જ નહિ. જ્યારે ગ્રાહક આવે ત્યારે ખોલવાની ને ? નહિ. પેઢી બંધ કરતાં કરતાં ગ્રાહક આવી ચઢે તો પાછા ખોલીને બેસી જાઓ ને ? અરે, રાતના બાર વાગે જગાડવા આવે ને લાભ દેખાય તો ના ન કહો ને ? પાછો બચાવ કરો કે ‘લાભાલાભ તો જોવો જોઈએ ને ? વાણિયો કોને કહેવાય ?' આવું તો નિયમ વગરનું આજે તમારું જીવન થઈ ગયું છે!
ત્યારે જાઓ કે ટ્રેન જે હજારો માણસોને મુસાફરી કરાવે છે તે ટાઇમસર જ ઊપડે છે. ખાલી ઊપડે તે હા, પણ કોઈની રાહ ન જાએ. ભલે થોડો વખત