SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ × એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 પહોંચવું જોઈએ જ; એ બધા કાયદા મોહના છે. એ મોહના કાયદા બધા માનો છો તો ધર્મના કાયદા માનવાનો ઇન્કાર હોય ? ન જ હોય. અમુક ધર્મક્રિયા વિના રહેવાય જ નહિ એવા દૃઢ સંકલ્પવાળા કેટલા ? રોજ સામાયિક ક૨વું જ, સવાર-સાંજ પાપની આલોચના કરવી જ, એવા નિયમવાળા કેટલા ? પર્વતિથિએ બાર કલાક કે ચોવીસ કલાકની ફુરસદ લઈ પૌષધ કરનારા કેટલા નીકળે ? આ સ્થિતિ ન હોય તો આગળની વાત શી કરવી ? 1269 ૮૧ અમારી સામે ફરિયાદ છે કે ‘નિયમની વાત કરતા નથી ને સીધી દીક્ષાની જ વાત કરે છે.' એ ફરિયાદની સામે હવે મારો આ બચાવ છે. ‘સાધુપણું બધાથી ન બને પણ નિયમો કરાવે તો બધા લે, એમ ઘણા કહેતા હતા, તો હવે આ નિયમોની વાત મેં કાઢી છે અને હમણાં એ જ વાત ક૨વાનો છું. આમાં હવે સાધુપણાની વાત છે ? એ વાત સાચી કે સામાન્ય નિયમોમાં પણ ધ્યેય તો એ જ આવવાનું. કારણ, આવા નિયમધરોને સંયમ સહેલું છે. જે કાંઈ નિયમો છે તે બધા એના માટે છે. જેમ જેમ આત્મા નિયમથી બંધાય તેમ તેમ બે, ચાર કે છ મહિને પણ સંયમ પામે અથવા સંયમ એના માટે સહેલું થાય; પણ વાત એ કે નિયમો મજબૂત જોઈએ. સામાન્ય બારીબારણાં રાખો તો પછી એ નિયમ, નિયમનો હેતુ સફળ કરી શકતો નથી. ઇંદ્રિયો અને મનનું દમન એ નિયમનો હેતુ છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવું ન કરાય. કેટલીય વખત બધું ખુલ્લું રાખનારા નિયમધરનું જીવન બહુ વિષમ હોય છે. નિયમ વિનાની તો એક જ વાત કે નિયમ નથી. એ કમનશીબીનો પસ્તાવો જરૂર હોય પણ આ તો કહેવાય નિયમધારી પણ પોલાણ એટલી કે નિયમ કદી યાદ જ ન કરવા પડે. આવા નિયમમધારી તો ધોળો દિવસના શાહુકાર-ચોર જેવા છે. ચોર તો રાત્રે અંધારામાં ચોરી' કરે જ્યારે આ તો ધોળે દિવસે આંખો આંજીને લઈ જાય એવા છે. ચોર કરતાં પણ એ વધારે જોખમી છે. જે બધા રસ્તા ખુલ્લા રાખી નામના જ નિયમ કરે તે તો નિયમ નહિ લેનારાને પણ સારા કહેવડાવે એવા છે. જો આ સ્થિતિ ન હોત તો નિયમના અર્થનો આ ખુલાસો ટીકાકાર મહર્ષિને કરવો ન પડત કે-‘ઇંદ્રિયો તથા મનનું દમન કરે તે નિયમ.’ ઇંદ્રિયો તથા મનને કાબૂમાં મૂકવાની ફરજ પાડે એવો એક પણ નિયમ તમારે છે? બેકારીનું મૂળ-નિયમનો અભાવ : નિયમોથી ઘણા લાભ છે. નિયમોથી જીવન મુઠ્ઠીમાં આવી જાય, ચિંતા અને ધાંધલ સહેજે મટી જાય, ઘણા પાપના દરવાજા આપોઆપ બંધ થઈ જાય અને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy