________________
૯ × એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86
પહોંચવું જોઈએ જ; એ બધા કાયદા મોહના છે. એ મોહના કાયદા બધા માનો છો તો ધર્મના કાયદા માનવાનો ઇન્કાર હોય ? ન જ હોય. અમુક ધર્મક્રિયા વિના રહેવાય જ નહિ એવા દૃઢ સંકલ્પવાળા કેટલા ? રોજ સામાયિક ક૨વું જ, સવાર-સાંજ પાપની આલોચના કરવી જ, એવા નિયમવાળા કેટલા ? પર્વતિથિએ બાર કલાક કે ચોવીસ કલાકની ફુરસદ લઈ પૌષધ કરનારા કેટલા નીકળે ? આ સ્થિતિ ન હોય તો આગળની વાત શી કરવી ?
1269
૮૧
અમારી સામે ફરિયાદ છે કે ‘નિયમની વાત કરતા નથી ને સીધી દીક્ષાની જ વાત કરે છે.' એ ફરિયાદની સામે હવે મારો આ બચાવ છે. ‘સાધુપણું બધાથી ન બને પણ નિયમો કરાવે તો બધા લે, એમ ઘણા કહેતા હતા, તો હવે
આ નિયમોની વાત મેં કાઢી છે અને હમણાં એ જ વાત ક૨વાનો છું. આમાં હવે સાધુપણાની વાત છે ? એ વાત સાચી કે સામાન્ય નિયમોમાં પણ ધ્યેય તો એ જ આવવાનું. કારણ, આવા નિયમધરોને સંયમ સહેલું છે. જે કાંઈ નિયમો છે તે બધા એના માટે છે.
જેમ જેમ આત્મા નિયમથી બંધાય તેમ તેમ બે, ચાર કે છ મહિને પણ સંયમ પામે અથવા સંયમ એના માટે સહેલું થાય; પણ વાત એ કે નિયમો મજબૂત જોઈએ. સામાન્ય બારીબારણાં રાખો તો પછી એ નિયમ, નિયમનો હેતુ સફળ કરી શકતો નથી. ઇંદ્રિયો અને મનનું દમન એ નિયમનો હેતુ છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવું ન કરાય. કેટલીય વખત બધું ખુલ્લું રાખનારા નિયમધરનું જીવન બહુ વિષમ હોય છે. નિયમ વિનાની તો એક જ વાત કે નિયમ નથી. એ કમનશીબીનો પસ્તાવો જરૂર હોય પણ આ તો કહેવાય નિયમધારી પણ પોલાણ એટલી કે નિયમ કદી યાદ જ ન કરવા પડે. આવા નિયમમધારી તો ધોળો દિવસના શાહુકાર-ચોર જેવા છે. ચોર તો રાત્રે અંધારામાં ચોરી' કરે જ્યારે આ તો ધોળે દિવસે આંખો આંજીને લઈ જાય એવા છે. ચોર કરતાં પણ એ વધારે જોખમી છે. જે બધા રસ્તા ખુલ્લા રાખી નામના જ નિયમ કરે તે તો નિયમ નહિ લેનારાને પણ સારા કહેવડાવે એવા છે. જો આ સ્થિતિ ન હોત તો નિયમના અર્થનો આ ખુલાસો ટીકાકાર મહર્ષિને કરવો ન પડત કે-‘ઇંદ્રિયો તથા મનનું દમન કરે તે નિયમ.’ ઇંદ્રિયો તથા મનને કાબૂમાં મૂકવાની ફરજ પાડે એવો એક પણ નિયમ તમારે છે?
બેકારીનું મૂળ-નિયમનો અભાવ :
નિયમોથી ઘણા લાભ છે. નિયમોથી જીવન મુઠ્ઠીમાં આવી જાય, ચિંતા અને ધાંધલ સહેજે મટી જાય, ઘણા પાપના દરવાજા આપોઆપ બંધ થઈ જાય અને