________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
648 કારણ કે, ક્રિયાઓ ઉભય પ્રકારની દેખાય છે : કેટલીક સફળ અને . કેટલીક અફળ : ખેડૂત આદિની ક્રિયાઓ પણ ઉભય પ્રકારની દેખાય છે તેમ આ ક્રિયા પણ ઉભય પ્રકારની હોય એમ સંભાવના કરી શકાય છે.”
એનું કારણ એમ કહેવામાં આવે છે કે, ‘પૂર્વ પુરુષો શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબના માર્ગની આચરણા કરનારા હતા. એ કારણથી તેઓને તો ફલનો યોગ ઘટે છે અને અમારામાં તો બુદ્ધિ અને સંઘયણનો વિરહ હોવાથી તે ક્રિયાઓનું તેવું ફલ ન ઘટે' - આવા પ્રકારની વિચિકિત્સા પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યકત્વનો દોષ છે.” *
૩“આ વિચિકિત્સા શંકાથી ભિન્ન નથી એમ નથી કિંતુ ભિન્ન જ છે કારણ કે, “શંકા' એ સકલ અને અસકલ પદાર્થોને ભજનાર હોવાથી દ્રવ્ય અને ગુણનો વિષય કરનારી છે અને આ “વિચિકિત્સા' તો માત્ર ક્રિયાનો જ વિષય કરનારી છે :”
અથવા “વિચિકિત્સા” એટલે “નિંદા અને તે “સુંદર આચારોને ધરનારા મુનિવરોને વિષય કરનારી છે. જેવી કે અસ્નાન કરીને એટલે મુનિવરો સ્નાન નહિ કરતા હોવાથી એમ કહેવું કે “પરસેવાના પાણીથી કિલન્ન થયેલા મલવાળા હોવાના કારણે આ સાધુઓ દુર્ગધથી ભરેલા શરીરવાળા છે : આ સાધુઓ જો પ્રાસુક પાણીથી અંગનું ક્ષાલન કરે તો શું દોષ થાય તેમ છે.” આવા પ્રકારની ‘વિચિકિત્સા' પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મ ઉપર અવિશ્વાસરૂપ હોવાથી સમ્યત્વનો દોષ છે.”
શ્રી સમ્યક્ત્વ સપ્તતિકાના કર્તા પરમર્ષિ પણ “વિચિકિત્સા' નામના ત્રીજા દોષનું વર્ણન કરતાં પ્રરૂપે છે કે -
१. उभयथा हि क्रिया दृश्यन्ते सफला अफलाश्च कृषीवलादीनामिव इयमपि तथा सम्भाव्यते । २. यदाह-"पुवपुरिसा अहोइअ-मग्गचरा घडइ तेसि फलजोगो । अम्हेसु य धीसंघयण-विरहओ न तह
तेसि फलं ।।१।।" इति ।। विचिकित्सापि भगवद्वचनानाश्वासरूपत्वात् सम्यक्त्वस्य दोषः । 3. न च शंकातो नेयं भिद्यते । शङ्का हि सकलासकलपदार्थभाक्त्वेनद्रव्यगुणविषया, इयं तु
ક્રિયવિષયૅવા. ४. यद्वा विचिकित्सा निन्दा सा च सदाचारमनिविषया यथा अस्नानेन प्रस्वेदजलक्लिनमलत्वाद्
दुर्गन्धवपुष एत इति । को दोषः स्याद्यदि प्रासुकवारिणाऽङ्गक्षालनं कुर्वीरनिति । इयमपि तत्त्वत्तो भगवद्धानाश्वासरूपत्वात् सम्यक्त्वदोषः ।