________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ?
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૦)), બુધવાર, તા. ૨૯-૧-૧૯૩૦
♦ સંઘ-વ્યવસ્થાને કોણ શિથિલ કરે છે ?
♦ વિચિકિત્સા દોષની ઓળખાણ :
♦ ધર્મ કરવાનો શા માટે ?
• આદર્શો લાવવા માટે શ્રદ્ધામાં નિશ્ચલ થવાની જરૂ૨ :
·
ક્ષમા કેળવતાં શીખો !
૭ ભક્તિને સ્થાને ભય શાથી થાય છે ?
♦ માનવજીવનની પ્રશંસા શા માટે ?
• તમારાં વર્ષ સફળ થયાં કે નિષ્ફળ ગયાં ?
♦ હું કડવું બોલતો નથી પણ મારે બોલવું પડે છે ! કોઈની દીક્ષા જોઈ ધર્મી ધર્મથી ખસે ખરો ?
46
સંઘ-વ્યવસ્થાને કોણ શિથિલ કરે છે ?
સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની અનેક રૂપકોથી સ્તવના કરી રહ્યા છે. અનેક રૂપકોથી સ્તવનામાં ‘નગર’ આદિ સાત રૂપકોની સ્તવના આપણે વિચારી અને આઠમા ‘સુરગિરિ’ના રૂપકથી કરેલી સ્તવનાનો વિચાર ચાલે છે. એ રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર પ૨મર્ષિએ ફરમાવ્યું કે
-
‘જેમ સુરગિરિની પીઠ શ્રેષ્ઠ વજ્રરત્નમય હોવા સાથે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ સુગિરિની પીઠ પણ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમય છે અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે.’
શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠ દૃઢ તો બની રહે કે, તેમાં શંકાદિ દોષોરૂપ પોલાણ ન થાય. જો શંકાદિ દોષોરૂપ પોલાણ થાય તો જરૂર તેમાં કુમતોની વાસનારૂપ પાણીનો પ્રવેશ થાય અને જો તેમ થાય તો જરૂ૨ શ્રીસંઘરૂપ સુગિરિની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમય પીઠ દૃઢ ન રહી શકે. શ્રીસંઘમાં રહેવા ઇચ્છતા દરેકે એ પીઠને દૃઢ રાખવા માટે શંકાદિ દોષોથી બચવું જોઈએ.