________________
645
– ૫ : ઘર્મ શા માટે - ધર્મ પાસે શું મનાય ? -45
-
૭૫
સરખી, એ જ વીતરાગભાવ દર્શાવનારી હોય. શ્રાવક બધા એને નમે, સ્નાત્ર - કરે, પૂજા કરે, ત્યાં ચૈત્યવંદન કરે, સ્તવન બોલે, ફળ-નૈવેદ્ય ધરે. ત્યાં બોલાય શું ? એ જ કે, “ખોટાથી છોડાવો, ખોટાથી છોડાવો ! બધાં સ્તવનમાં વાત શી ? ‘ભગવન્! આપ આવા અને હું પાપી – મને તારો.” કોઈ પણ મહાપુરુષનું સ્તવન લ્યો પણ વાત તો એ જ ને ? આમ છતાં પણ આજે જે વિરુદ્ધ વાતાવરણ વિલસી રહ્યું છે, એનું કારણ શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નથી પીઠમાં શંકા અને કાંક્ષારૂપ દોષે પોલાણ કર્યું છે એ છે. કોઈ પણ રીતે એ પોલાણ પૂરવા જેવું છે. એ દોષોથી અને આગળના દોષોથી થતી દુર્દશાનું વર્ણન હવે પછી.