________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ખરેખર, આ લોકોની દશા જ જુદી છે !!! જે સુધારા જોઈએ છે તેનો સંહાર કરે છે અને નથી જોઈતા તે દાખલ કરાવવા મથે છે. આવી આજનાઓની દયાજનક દશા છે. જૈનદૃષ્ટિએ સ્થાપના માની, વસ્તુ માની, પાછી મન:કલ્પિત કલાના આરોપના બહાને વસ્તુને ઉડાવવાનો પ્રયત્ન કરનારામાં વસ્તુતઃ જૈનત્વ જ નથી.
૭૪
644
ખોટી બળતરા તજો અને વસ્તુ સમજો :
પાસે પાસે મંદિર હોય એને ખડકાયેલા ઢગલા કહેનારા શું જૈન છે ? પાંચ મંદિરોમાં ત્રણ તો વચ્ચે છે. મંદિર પાસે મંદિર હોય તો વાતાવરણ શુદ્ધ કે ગૃહસ્થના બંગલા હોય તો વાતાવરણ શુદ્ધ ? મંદિર ખડકાયેલા ઢગલા તો બંગલા ઢગલા નહિ ? ઘણી મૂર્તિને પ્રદર્શન કહે છે તો ઘરમાં છોકરા પંદર કેમ ? તિજોરીમાં થેલી શા માટે ? થેલીમાં કેટલા ? હજાર ! એક કેમ નહિ ? હીરા, માણેક, પન્ના, વગેરે શા માટે ? ઘરમાં અને તિજોરીમાં બધું જોઈએ તો મંદિરમાં મૂર્તિ જ મૂર્તિ અને ઉપાશ્રયમાં સાધુ જ સાધુ કેમ ન જોઈએ ? મંદિરમાં મૂર્તિ અને ઉપાશ્રયમાં સાધુ કેટલા જોઈએ ? એક ? નહિં, અનેક જોઈએ. અર્થકામની વાસનાની વસ્તુનો તો પાર નથી. ટેબલ, ખુરર્શી, તળાઈ, ફર્નિચર, ચૂલા, સ્ટવ બધુંય ગોઠવાયેલું તૈયાર, તેમ મંદિરમાં ભગવાન, ભગવાન, જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાય અને ઉપાશ્રયમાં સાધુ જ દેખાય એમાં આંખમાં બળતરા કેમ થાય છે ?
શ્રી જિનેશ્વરદેવના મંદિર જેવું જગતમાં કોઈ મંદિર નથી. એવી સ્વચ્છતા, સુંદરતા બીજે ક્યાંય નથી. એક સરખા ભાવવાહી શબ્દો બીજે નથી. મંદિરમાં જે આવે તે શું બોલે ? ‘ભગવન્ ! મને તારો કહે, ‘કોઈ કહે, ‘સંભવ જિનવર વિનંતી' તો કોઈ કહે કે, ‘પ્રશમરસનિમન' તો કોઈ કહે કે, ‘નરક નિગોદમાં હું ભમ્યો.' પુરુષ કે, સ્ત્રી, નાના કે મોટા, બોલે તો આ ને ? બાળક હોય તો ‘જે જે' કહે, હાથ જોડે, પણ કોઈ પૈસા માંગે ? ‘ચાર પાઈ અને છ પાઈ આપ' એમ કોઈ કહે ? જૈનમંદિર જેવું મંદિર બીજે લાવો તો ખરા ? આવા એકધારા શબ્દ, એકધારી વૈરાગ્યવાસના, એકધારા ઉત્તમ ભાવનાના ફુવારા આ મંદિર સિવાય બીજે ક્યાંય છે ?
સભા ‘કેટલાક કહે છે કે, કોઈ મૂર્તિ માથે હાથ દઈને બેસાડો તો કોઈ સૂતી પધરાવો' એમ જુદી જુદી આકૃતિ બનાવો.'
ભગવાન દુ:ખી હતા કે લમણે હાથ દેવરાવીએ ? ચોવીસે તીર્થંક૨, ત્રણે ચોવીસીના બહોંતેર તીર્થંક૨, મહાવિદેહના વીસે તીર્થક૨, બધાની મૂર્તિ એક જ