________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ? - 45
૭૧
તો એનો રસ ન જ આવે. આ ધર્મ નવરા માટે નથી પણ કામગરા માટે છે. - ઘરના વ્યવહારમાં પણ નજરથી એક મિનિટ પણ આ ધર્મ દૂર ન કરવો જોઈએ. દુનિયાની કાર્યવાહી ધર્મને ટક્કર મારે એ દશા ન જોઈએ. આ દશા આવે તો માનું કે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જરૂ૨ ઓતપ્રોત થયો છે; નહિ તો સારો કહો એટલા માત્રથી વિશ્વાસ કેમ રખાય ?
641
――――――――
કૃતઘ્ન નહિ પણ કૃતજ્ઞ બનો :
પ્રથમ કાગળિયામાં સહી કરે, પછી લાગે કે પોલીસ પકડવા આવશે, તો કહે કે, ‘જોખમદારી હોય તો સહી નહિ' - આ કઈ દશા ? સહી શોભા માટે હતી કે સેવા માટે ? એ વિચારી લો!
ન
આ તો કહે છે કે, ‘આડુંઅવળું ન હોય તો ઊભો રહું.’ શું ધર્મની સેવામાં જોખમદારી નહિ જોઈએ ?
પેઢીમાં ભાગ ખરો પણ નફામાં, તોટામાં નહિ એમ ચાલે ? નહિ.
તો ફળ માંગું પણ આપત્તિમાં ઊભો ન રહું, એ કેવી વાત ?
પૂજા ખરી પણ ભગવાનને ઉપાડી જાય તો ‘ક્યાં મારા એકલાના છે ?’ એ કેવી ભાવના ?•
ટ્રસ્ટી લાખ્ખોનો વહીવટ કરે પણ મંદિરમાં શું થાય છે એની ખબર ન રાખે અને ત્યાં કહી કે, ‘સામાજિક મિલકત છે; સમાજ ગમે તેમ કરે' એ ચાલે ? જેનો વહીવટ કરે એની ખામી અને નડતર નહિ જોવાનાં ?
જે ઘરમાં રહે તે ઘરની ભીંત પડે તો એ રહેનાર સમારે કે બીજો ? છોકરો મરી જાય તો બાળવા ન જાય ? ‘હું તો રમાડું, બાળવા ન જાઉં’ એમ કહે તો ? એમ કોઈએ પણ કહ્યું છે ?
ઘરમાં કોઈ માંદું થાય તો એને સાજું કરવાના ઉપાય ન કરો ? વેપારની હાનિ પૂરો કે નહિ ?
તેમ ધર્મ ઉપર આવતી આપત્તિ ટાળવાની તમારી ફરજ ખરી કે નહિ ?
તકલીફ ભોગવીને પણ ધર્મનું રક્ષણ કરવાની ફરજ ખરી કે નહિ ? ‘શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સંસારનાં બંધન છોડી મોક્ષમાં જવા માટે છે' આ નક્કી કરો તો શંકા ન થાય.
જે છે તે છોડવાની ધર્મમાં ભાવના હોય, આવી અખંડ માન્યતા ધર્મીની હોવી જોઈએ. આવી માન્યતાવાળાથી ક્વચિત્ ધર્મ ન થાય એ બને, પણ એનું