________________
635
- ૫ : ધર્મ શા માટે
-
ધર્મ પાસે શું મગાય ? - 45
૬૫
શાથી રાખવાની એ ખૂબ સમજો, કારણ કે, એ સમજાયા વિના કયે દિવસે ધર્મથી ખસી જવાશે તે કહી શકાય નહિ. જેનું હૃદય સંસારમાં આસક્ત છે, તે કાલે જ ખસી જાય તો પણ આશ્ચર્ય ન થાય, કારણ કે, એવાઓથી તો ન ખસાય એ જ એઓનું મહાભાગ્ય !
શ્રદ્ધાળુ બનો તો સાચા બનો
વૈરાગ્યની વાતો લાગે મીઠી પણ એવો ઘરમાં પ્રસંગ આવે ત્યારે ફરી ન જવાય, એ વસ્તુની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. એવે સમયે - ‘આપે ઉતાવળ કરી, આપને વૈરાગ્યની વાતો કરવાની છૂટ પણ મારા ઘરમાં અને મારા સંબંધીઓમાં આ વાત હોય ? હું આપનો ખરો પણ આ પ્રસંગે મારે આવે ઊભા રહેવું પડશે, કદાચ વચ્ચે પણ આવવું પડશે. હું રોજ આવનારો છું માટે મારી શરમ ખાંતર પણ માની જાઓ !' આવું બોલવાની દશા હોય એ કેવી અધમ દશા છે એના ઉપર વિચાર કરો. ‘જે વસ્તુ સારી છે એ પોતામાં કે પોતાના પરિવારમાં આવવી જ જોઈએ. એવી દશા જેનામાં ન હોય એ પ્રભુશાસન પામ્યા છે, એ કેમ જ કહેવાય ?
સભા પારકા છોકરાને જતી કરવાની કહેવત શાથી ?'
એ ગાંડાની કહેતી છે,જતી થવું ખોટું માનો છો ? પોતાથી સારી વસ્તુ ન . બને તો પારકાને પણ સહાય કરવામાં ધર્મ છે. અહીં આવનારે અગર અહીં પોતાના સંતાનને મોકલનારે તો એ જ માનવું જોઈએ કે, ‘સદ્ગુરુઓની સેવામાં રહેનારને વૈરાગ્ય થવો જ જોઈએ.' આવી માન્યતાવાળાને તો વૈરાગ્ય ન થાય એમાં જ નવાઈ લાગવી જોઈએ. એવા આત્માઓ પોતાને વૈરાગ્ય આવે તો ખુશ થાય અને ‘પોતાનો બાળક વૈરાગ્ય પામ્યો' એવા સમાચારથી તેઓને આનંદ થાય એટલે તેઓ કહે કે, ‘અમે એ ઇચ્છતા જ હતા' એમ કહીને સમાચાર -આપનારને વધામણી આપે. આ સિવાય સાચી માન્યતા છે એની ખાતરી શી, એ કહો ! એમાં પોલ હોય એ કેમ નભે ? શું શ્રાવકના ઘરમાં આ વાત નવી છે ? પૂર્વે તો માથે ધોળા વાળ આવેલાઓ, સંસારમાં ૨હેતાં શ૨માતા હતા અને કહેતા કે, ‘પૂર્વજો તો ધોળા વાળ પહેલાં નીકળી ગયા અને અમે તો ધોળા વાળ આવ્યા છતાંય રહી ગયા ! બાલ્યકાળમાં તો નહિ પણ ધોળા વાળ આવ્યા ત્યાં સુધી પણ વિરાગ ન થવા માટે એમને શોક થતો હતો. આજે તો કાળા વાળ કરતાં ધોળા વાળવાળા વધુ મ્હાલે છે. માટે તો એ કહે છે કે, ‘અલ્યા ! અમને ત્યાગ નહિ અને તને કેમ ? આ શી ધાંધલ !!!' સમજદારની આ દશા શાથી ? કહેવું પડશે કે ‘જિનમત સારો છે.’ એ હજી સમજાયું જ નથી.