________________
ess - ૫ઃ ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય? - 45 – ૯૩ ઘણી હાનિ કરે છે. લોકોત્તર મિથ્યાત્વની સેવનાના પ્રભાવે જતે દિવસે સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વ પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે. માન્યતા મુજબ શ્રી કેસરિયાજી ચાર વાર ફળ્યા અને પાંચમી વાર પોતાના અશુભોદયે ન ફળ્યા
તો ?
ગુરુએ દુનિયાની વાત એક-બે વાર કહી એમાં ફાવ્યા અને ત્રીજી વાર ન ફાવ્યા તો ?
ધર્મ પ્રતાપે દુનિયાની સામગ્રી થોડો વખત શુભોદયે મળી અને અશુભોદયે ન મળી તો ?
માટે સમજો કે, લોકોત્તર મિથ્યાત્વની સેવનાના પ્રતાપે સમ્યદૃષ્ટિ આત્માને પણ શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે અને એ રીતે ગયેલો વિશ્વાસ ફરી આવવો મુશ્કેલ થઈ પડે છે. વિવેકી આત્મા લોકોત્તર, તો એનું મિથ્યાત્વ પણ લોકોત્તર, લૌકિક અવસ્થામાં પડેલા ભદ્રિકજીવને તો લોકોત્તર મિથ્યાત્વની પ્રવૃત્તિથી કદાચ લાભ પણ થઈ જાય, પણ લોકોત્તરને તો લોકોત્તર મિથ્યાત્વ મારી પાડે.
લૌકિક અવસ્થામાં પડેલો તો અજ્ઞાન છે, ધર્મના સ્વરૂપને સમજતો નથી, કુદેવ, કુગુરુ અને કુધર્મની ક્યાસનામાં પડ્યો છે, દેવને જ જગતનો કર્તા માને છે, સુખ-શાંતિના દાતા એને માને છે, માટે એ તો ત્યાં માંગે, કેમ કે, એને તો મિથ્યાત્વ ચાલુ છે, રૂઢ છે : પણ તમે તો જાણો છો કે, દેવ તો વીતરાગ કે, જે ભક્તિથી તુષ્ટમાન થાય નહિ અને સેવાથી રાજી થાય નહિ; ગુરુ તે કહેવાય કે જે મહાવ્રત ધરે અને જેણે સંસાર છોડ્યો હોય; આવું માનનારા જ્યારે તે જ દેવ અને ગુરુ પાસે પૌદ્ગલિક પદાર્થોની આશા રાખે તો એમનું સમ્યક્ત્વ . ખસતાં વાર પણ લાગે નહિ અને પછી એ સીધા ઠેકાણે પણ આવે નહિ. જૈનશાસન ઉત્તમ શાથી?
હું પૂછું છું કે, જૈન ધર્મ તમે સારો માનો છો પણ કઈ ભાવનાએ માનો છો એ કહો ! મોક્ષનો માર્ગ બતાવનાર છે માટે જ કે બીજી રીતે ? ‘વિષયકષાયથી છોડાવી, દુનિયાના રંગરાગથી દૂર કરાવી, સંસારના બંધનથી છોડાવી, મુક્તિમાર્ગે ચડાવી, સંસારનો પાર પમાડી આત્માને મોક્ષમાં લઈ જનાર છે, માટે જ સારો છે એમ માનો છો ને ? પૈસા, રાજ્ય, દેવલોકની રિદ્ધિ-સિદ્ધિ એ વગેરે મળે છે એ જ માટે સારો માનો છો એમ તો નથી ને ? જેટલું સારું તે બધું ભલે એનાથી મળે પણ એ માટે એને સારો માનો છો એમ તો નથી ને ? જો એ