________________
કર
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
632 શંકા અને કાંક્ષા થાય એ જ સૂચવે છે કે, શ્રી જિનેશ્વરદેવના વચન પર . યથાર્થ પ્રતીતિ નથી. પ્રભુમાર્ગમાં મરજી આવે તેવી શંકા કરનાર, ઘડી ઘડી ઇતર માર્ગની અભિલાષા કરનાર આત્મા, પોતાના જૈનત્વને શી રીતે સાચવી શકે ? જૈન તે કહેવાય કે જેને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય જ નહિ; સમજવા માટે શંકા થાય પણ વસ્તુને નહિ માનવારૂપ શંકા ન જ થાય. જૈનને ઇતર મતની અભિલાષા ન જ થાય. કેમ ન થાય ? સાચો જૈન મત સારો. માન્યો માટે જ ને ? તમે જૈન મત સારો માન્યો એની ખાતરી ત્યારે જ ગણાય કે, જ્યારે તમે “આ વસ્તુ જેવી વસ્તુ દુનિયામાં કોઈ સ્થળે નથી દેખાતી આવી માન્યતાવાળા બન્યા હો ! તમારી મનોદશા - દેવ, વીતરાગ, ગુરુ, નિગ્રંથ અને ધર્મ ત્યાગમય જ; ત્યાં કમીના શી ?' આવી જ હોવી જોઈએ. લોકોત્તર મિથ્યાત્વઃ સભાઃ “વાત ખરી, પણ સાહેબ ! પોતાનું જાણતા નથી અને પારકામાં માથું
મરાય છે માટે જ ગૂંચવણ ઊભી થાય છે.' , પોતાનું ન જાણે ત્યાં સુધી પારકાના સહવાસની મના છે.” એ વાત આગળ આવવાની છે, એટલે હાલ એને મુલતવી રાખો અને એ જ વિચારો કે, આ વસ્તુ ઊંચી શાથી ?” “પોતાના આત્મીય સ્વરૂપને પ્રગટાવનારી છે માટે જ ઉત્તમ છે એમ માનો છો ને ? આ માન્યતા ભૂલ્યા તો પરમાં પડાશે અને પરમાં પડ્યા તો આ શ્રદ્ધાથી ઝટ ખસવાના, માટે જ શ્રદ્ધામાં મજબૂતપણે સ્થિર રહેવાની આવશ્યકતા છે. આ શાસનમાં/માર્ગમાં, આ દેવ, ગુરુ પાસે દુનિયાની વસ્તુ માંગવાની વાત હોય જ નહિ.” એ વાતમાં ખૂબ નિશ્ચિત બનો. શાસનમાં વસ્તુની પ્રસંશા પણ નથી, તમે જ્યાં બેઠા છો ત્યાંના પણ આ શાસનમાં વખાણ નથી; માટે આમાંથી ખસતાં વાર ન લાગે એ બનવા જોગ છે. એ જ હેતુથી આટલા ટકી રહ્યા છે એ પણ તેઓનું અહોભાગ્ય સૂચિત થાય છે.
જ્ઞાની કહે છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામવું અતિશય દુર્લભ છે, શ્રી જિનેશ્વરદેવના વચનનું શ્રવણ એનાથી પણ અતિશય દુર્લભ છે, એના તરફ રુચિની દુર્લભતા તો એ કરતાં પણ વધારે છે, એ રૂચિ અસ્થિમજ્જા થવી એ વળી મહાકઠિન છે અને અમલ તો એકદમ કઠિન છે. દુનિયાના પદાર્થો પ્રત્યેની કામના અરુચિકર લાગશે ત્યારે “આ મત સારો છે” એ ભાવના ટકશે. આ જ કારણે સમ્યગુદૃષ્ટિ આત્માઓ લોકોત્તર મિથ્યાત્વમાં ન ફસી જાય એ વાત ઉપર જ્ઞાનીઓ ઘણો ભાર મૂકે છે.
લૌકિક મિથ્યાત્વ સૌને હાનિ કરે છે તેમ લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્રષ્ટિને