________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ?
વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ વદ-૧૪, મંગળવાર, તા.૨૮-૧-૧૯૩૦
♦ ધર્મક્રિયાનો હેતુ :
♦ મનોદશા કેવી હોવી જોઈએ ?
૦ લોકોત્તર મિથ્યાત્વ :
જૈનશાસન ઉત્તમ શાથી ?
♦ શ્રદ્ધાળુ બનો તો સાચા બનો :
♦ ધર્મ, એ ફુરસદ મળે ત્યારે જ કરવાની ચીજ નથી :
૭ સાધર્મિક ભક્તિ કરો છો ?
૭ ખોટા બચાવ ન શોધો :
♦ ધર્મમાર્ગે ચડાવવામાં જ મુશીબત :
• કૃતઘ્ન નહિ પણ કૃતજ્ઞ બનો !
♦ ખોટી માન્યતામાં ન ફસાઓ !
♦ મૂર્તિપૂજા કળાની દૃષ્ટિએ નથી !
♦ ખોટી બળતરા તજો અને વસ્તુ સમજો !
45
ધર્મક્રિયાનો હેતુઃ
સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગરાદિ સાત રૂપકો સાથે સરખામણી કર્યા બાદ હવે સૂત્રકાર મહર્ષિ પૂ. શ્રીસંઘની, શ્રી મેરૂ સાથે સરખામણી કરી રહ્યા છે. તેમાં મોક્ષનું મુખ્ય અંગ જે શ્રી સમ્યગ્દર્શન, તેને વજ્રરત્નમય વ૨પીઠને સ્થાને સ્થાપેલ છે; જે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં કુમતની વાસનારૂપ પાણી પ્રવેશે તો પીઠ અવશ્ય પોલી થાય. એ પીઠમાં દોષો એ જ પોલાણ છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસનો અભાવ એ જ શંકા દોષ છે, કાંક્ષામાં પણ એ જ છે; એ જ રીતે વિચિકિત્સામાં પણ એ જ દશા છે. આત્માને બનાવટી વસ્તુ પર જેટલો રાગ છે, તેટલો વાસ્તવિક વસ્તુ પર રાગ નથી માટે શંકા થાય છે.
પુદ્ગલાનંદી આત્માને કઠિન કરતાં સહેલું બહુ ગમે છે, એને અંદરની સુંદરતા કરતાં બહારનો અડંબર બહુ રૂચે છે; એનું કારણ એનામાં પડેલો કાંક્ષા