________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 — ૫૯
ન
ઊંચા આસને બેસાડવા અને એમનાં વખાણ કરવાં કે, ‘તે નામચીન આ કે જેની • આપણે વાત કરતા હતા. જેના ફંદામાં ન ફસાવાનું કહેવામાં આવતું હતું તે આ ઓળખી લો.’ એ વખતે કેંકને થશે કે, એમને આવા જાણ્યા હોત તો ત્યાં ન ભળત, આપણી ભૂલ થઈ અને આવી ભૂલ ફરીથી નહિ કરીએ.' આટલા માટે આ બધી મહેનત છે. પરિણામ આવે કે ન આવે, પણ મહેનત કરનારનું તો અવશ્ય આત્મકલ્યાણ છે જ. આ બધી વાત તેને જ સમજાય કે, જેનું સમ્યક્ત્વ પોલું ન હોય. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સમ્યક્ત્વને સંઘરૂપ સુરગિરિની પીઠ કહે છે અને ટીકાકાર મહર્ષિ એ પીઠને પોલી કરનારા દોષોથી બચવાનું કહે છે, જેમ ‘શંકા’ દોષ કારમો છે, તેમ ‘કાંક્ષા' દોષ પણ કારમો છે. એ બંનેય દોષના સ્વરૂપનું અને પરિણામનું જરૂરી વિવેચન આપણે કરી ગયા અને બાકીના દોષોનું હવે પછી.
629