________________
૫૮ ----- - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 628 આવી જાય, તે છતાંય પરીક્ષક દોષને પાત્ર બનતો નથી અને જ્યારે ખ્યાલ આવે કે આ ગાઢ મિથ્યાદષ્ટિ કે અભવ્ય છે ત્યારે તેનો ત્યાગ કરવાનું વિધાન પણ શાસ્ત્રકારોએ કર્યું છે. આથી તો શાસ્ત્રમાં પણ એવાં અનેક દૃષ્ટાંતો સાંભળવા મળે છે કે સમવસરણમાં શ્રી જિનેશ્વરદેવની ઋષિ સિદ્ધિ જોઈ મન થવાથી અભવ્ય પણ દીક્ષા લે છે. અભવ્ય પણ દીક્ષાના દ્રવ્યપાલનના પ્રતાપે નવમા રૈવેયક સુધી જાય છે. એવી જ સ્થિતિ ગાઢ મિથ્યાદૃષ્ટિની પણ થાય છે. પણ આવા આત્માઓની સ્થિતિ પરિણામે અત્યંત દારુણ બને છે. એ જીવો નવમા રૈવેયકમાં પણ અંતરથી સુખી નથી હોતા અને ત્યાર પછી તો તેમને માટે દુર્ગતિની પરંપરાનું સર્જન થાય છે. આથી એવા જીવોને દીક્ષા આપવાનું વિધાન શ્રી જૈનશાસનમાં નથી, પણ ઉપર જેનું વર્ણન કરી ગયા તેવા મંદ મિથ્યાદૃષ્ટિ આત્માઓને દીક્ષા આપવાનું સ્પષ્ટ વિધાન છે પણ જેનેં સર્વશંનાં વિધાનો સાથે લેવાદેવા જ ન હોય અને પોતાની મૂઢ મતિના આધારે જ બોલવું લખવું હોય તેને કોણ સમજાવી શકે? : : શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂર છે:
વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે માટે યથેચ્છ લખનારને શોધી કાઢવા જોઈએ. સભાઃ “પણ એ તો મોટી ટોળી છે, એક ચરણદાસને શોધે શું થાય ?'
છીંડેથી એક ચોર પકડાય પછી પોલીસ બધાને પકડે, એના બાપ પાસે જાય, બાપ પાસેથી એના મિત્રોને ઓળખે અને એ રીતે બધાને પકડે. શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂર છે. શાસનમાં છૂપી પોલીસ થાય તો આખી ટોળી અને એનો નાયક પણ પકડાયા વિના રહે જ નહિ. એક જ મુદ્દાથી આ બોલાય છે કે, અણસમજુઓ એમના બોલવામાં ન ફસાય. તમને એમ લાગશે કે, અણસમજુઓને બચાવવા માટે આવાઓને શોધીને બહાર લાવવા જ જોઈએ.” તો જરૂર એ લોકોને શોધવાનું તમને મન થશે. જો એવાઓને શોધવાનું મન ઉપર લઈ પ્રયત્ન કરશો તો એ નંગો જરૂર ઓળખાશે. કાંતિ, ચરણદાસ અને એના નાયક વગેરે બધા જ જણાશે.
બાબર લૂંટાર પહેલાં ભલે ન પકડાયો, પણ આખરે પોલીસે પકડ્યો. પોલીસ પછવાડે પડે એટલે કાં તો એને લૂંટ મૂકીને વગડામાં ભાગવું પડે અને કાં તો પકડાવું પડે. શાસનની પોલીસ પણ કામ કરે તો આવી શાસનનાશક ચળવળ બંધ પડે; અથવા ઉઠાઉગીરો એના નાયક સાથે હાથ આવે.બાબર દેવા માટે તો ફાંસી હતી. પણ આપણે ત્યાં ફાંસી નથી હોં ! આપણે તો એમને એક