________________
પર ,
I :
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અશુભ ન ચિતવે, ઇંદ્રિયો અને યોગોની હાનિ ન થાય તેવા પ્રકારનો તપ. કરવાની જ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે.” અને શક્તિ મુજબના તપથી યોગની શિથિલતા ન જ થાય. તપ તો આત્માને પ્રભુમાર્ગમાં અધિક રક્ત બનાવનાર છે. શ્રી જિનશાસનનો તપ સંયમની શુદ્ધિ માટે છે પણ ઘાત માટે નથી. સંયમના ઘાતક તપને જૈનશાસને તપ માન્યો જ નથી. શુદ્ધ તપનું સ્વરૂપ દર્શાવતાં સ્વપરસમયના પારદર્શી પરમર્ષિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે –
જે તપમાં બ્રહ્મચર્યનું પાલન છે, શ્રી જિનેશ્વરદેવની ચર્ચા છે, કષાયોની હાનિ છે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું એવું પાલન છે કે જે પાલનના પ્રતાપે આજ્ઞાનું પાલન અખંડિત બનતું જાય, તે તપને શ્રી જિનેશ્વરદેવનું શાસન શુદ્ધ તપ તરીકે માને છે.” પ્રભુશાસનની અનુપમતા :
શ્રી જિનેશ્વરદેવનું શાસન એ જ કારણે સર્વશ્રેષ્ઠ મનાય છે કે જે એકાંતે મુક્તિસાધક હોઈ, હર કોઈ મુક્તિના અર્થી માટે આરાધી શકાય એવું છે. શરત એટલી કે, એના આરાધકે સંસારની આરાધના બંધ કરવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવના શાસનનો એક પણ સિદ્ધાંત કે એક પણ આચરણા એવી નથી કે, જેની ઉત્તમતા અને અનુપમતા સાથે કોઈ પણ દર્શન સર્વ રીતે સરસાઈ કરી શકે. કોઈ પણ સુયુક્તિ શ્રી જિનશાસનની સામે આવી શકતી નથી અને કુયુક્તિઓ અનેક હોવા છતાં તે શ્રી જિનશાસનની સામે ટકી શકતી નથી. એ રીતે શ્રી જિનશાસન આ વિશ્વમાં સૌ માટે સેવ્ય છે અને કોઈથી પણ પરાભવ પામે તેવું નથી.
સભાઃ “યુક્તિઓ ઘણી છે, એને થોડી સુયુક્તિઓ પહોંચે ?
હા ! લૂંટારા ઘણા હોવા છતાં પણ પોલીસ થોડી હોય તો પણ બસ. લૂંટારામાં રહેલી લૂંટ જ જેમ લુંટારાનો નાશ કરે છે, તેમ કુયુક્તિમાં રહેલું કુત્સિતપણું જ તે કુયુક્તિનો નાશ કરે છે. કેવાં મા-બાપ વિશ્વાસઘાતી છે?
સભાઃ જૈનદર્શનને પામેલાં મા-બાપ સંયમ લેવા જતા સંતાનને ના કહે ?
૧. ચત્ર બ્રહ્મ નિના , પાવા તથા રતિઃ |
सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।१।।