________________
620,
૫૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨. હાલે નહિ. ન પ્રાણાતિપાત, ન મૃષા, ન ચોરી, ન મૈથુન, ન પરિગ્રહ છતાં બંધ કેમ ? જો કે આહાર નિદ્રા, મૈથુન તથા ભય સંજ્ઞા છે પણ પ્રગટરૂપે છે ? તમારી દૃષ્ટિએ એ હિંસા કરે છે? જુઠું બોલે છે ? ચોરી કરે છે ? મૈથુન સેવે છે? ખોટી સાક્ષી ભરે છે? ખોટા દસ્તાવેજ કરે છે ? લાખ બે લાખની એને મૂડી છે? એને પાપ શાથી ? શાસ્ત્ર કહે છે કે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગને તેઓ આધીન છે, એથી કર્મબંધ કાયમ છે. માટે જ સંસારમાં રૂલે છે. પાપપ્રવૃત્તિ કર્યા વિના પણ ઓઘથી પાપ લાગે છે. એકેંદ્રિય પોતે માર ખાય, શેકાય, છેદાય, પીલાય, એ કોઈને મારે નહિ, શેકે નહિ, છેદે નહિ. પીલે નહિ, છતાં એને પણ બંધ; એનું કારણ એ જ કે, એ મિથ્યાત્વાદિને વશ છે. ' ક્ષમાપના ક્યાં હોઈ શકે ?
બાકી કરે એને જ પાપ લાગે એમ માની લઈએ, તો તો એકેંદ્રિયને પાપ લાગત જ નહિ અને એથી સૌથી પહેલાં મુક્તિ એની થાત, પણ શાસ્ત્ર કહે છે, કે, મુક્તિએ તો પંચેંદ્રિય જ જાય, તેમાં પણ મનુષ્ય જ જાય, તેમાં પણ અમુક સામગ્રીવાળા જ જાય અને તેમાં પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારેનો અભાવ થાય તો જ મુક્તિ થાય; એ જ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારેથી છૂટા થવાની જરૂર છે. એ જ કારણે મિથ્યાત્વ અને અવિરતિથી બચેલા એવા સાધુઓએ પણ યોગો ઉપર અંકુશ રાખી, કષાયનો પણ નાશ કરવામાં જ મચ્યા રહેવાનું છે. એ જ કારણે સાધુને થયેલો કષાય જો પંદર દિવસમાં ન શકે, ક્ષમાપના ન માંગે, આગળ વધી ચાર મહિનામાં ન શકે, ત્યારે પણ ક્ષમાપના ન માંગે, છેવટ એક વર્ષમાં ન શમે અને છેલ્લે છેલ્લે એ વખતે પણ ક્ષમા ન માંગે, તો એને સમુદાયથી બહાર કરવાની પણ શાસ્ત્રાજ્ઞા છે; પણ એ કયો કષાય ? એ સમજવાની ઘણી જ જરૂર છે. નિનવો સાથે થયેલા દેખીતા કષાયની એ વાત જ નથી; કારણ કે ત્યાં તો જિંદગી સુધી ન બોલે તો પણ હરકત નથી, કારણ કે, એ કષાય, કષાયનું કામ કરનાર નથી.
કુમતવાદી તથા કુદર્શનનું ખંડન તો પ્રસંગે પ્રસંગે કરવાનું હોય, પણ એની માફી માંગવાની ન હોય. ટૂંકમાં સ્વાર્થ માટે બીજાને દુઃખ લગાડ્યું હોય અગર ટપાટપી કે મારામારી થઈ ગઈ હોય અથવા બીજાનું મનથી પણ ભૂડું ચિંતવ્યું હોય, એ બદલ માફી માગવાની છે. પોતાના સ્વાર્થ માટે બગાડ કર્યો હોય એની ક્ષમાપના છે, પણ ધર્મવિરોધી સાથે નહિ બોલવાથી એને દુઃખ લાગે તેની માફી નથી. જો એમ માફી માગવાની હોય તો તો સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા પહેલાં જૈન સાધુએ બધા કુમતવાદીને શોધવા પડે અને માફી માંગવી પડે અને એમ