________________
૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 608 વિરોધી છે. અગર હોય એમ માનતા જ નહિ. જેન સુખી થાય એમાં સાધુને શું કામ દુઃખ હોય ?
પણ એ લોકોએ એક બુટ્ટો ઉઠાવ્યો છે કે, “અમે બહુ ભણીએ તો સાધુઓ ઉત્તર ન આપી શકે, એમની જબાન બંધ થઈ જાય માટે કેળવણીનો વિરોધ કરે છે !” પણ હું એવો બુદ્દો ઉઠાવનારા ભણેલાઓને કહું છું કે, “જરા આવો તો ખરા, ભણેલાનું કૌવત (ભણતર) બતાવો તો ખરા ! એ ભણેલા ભેગા થઈને એકેએક વિદ્વાન સાધુ પાસે જઈ આવે અને સાધુ થાક્યા” એમ કહે તો પછ એમ લખવાનો અધિકાર છે કે એ પહેલાં જ ? એ લોકોએ આજ સુધી એક પણ ધર્મક્રિયાનું યુક્તિથી ખંડન કર્યું છે ? એક કલાક તો સારા સાધુઓ સામે એ બોલે ! એમને કહો કે, તમારા મતનું પ્રતિપાદન કરો ! એટલું જ સાંભળતાં તેઓ અનેક વિચારોમાં ડૂબી જશે. એ તો પાંચ-પચાસ સંગી સાથે ટેબલ પર હાથ પછાડે એ જ. “ઉદ્યાપનાદિ ધર્મક્રિયામાં થતો વ્યય એ ધુમાડો છે' એવા એમના મતનું એમને પ્રતિપાદન કરવાનું તો કહો! કહું છું કે, યુક્તિપૂર્વક કહ્યું : જ નહિ બોલી શકે. એ જ કારણે હું ભારપૂર્વક કહું છું કે, પોતાની વસ્તુ નથી ટકતી, એથી જ તેઓ સાધુઓ ઉપર ખોટા ખોટા આરોપોનો ટોપલો ઠલવે છે.
અમે તો ઇચ્છીએ છીએ કે આખોએ જૈનસમાજ ભણે; “એકેએક જૈન તત્ત્વજ્ઞાની બને એવી તો અમારા હૃદયની ઇચ્છા છે; કોઈ અભણ ન રહે એવી તો અમારી મનોભાવના છે; કોઈ દુઃખી ન રહે એવા તો અમારા મનના રોજના મનોરથો છે. પણ આજના સ્વચ્છંદીઓને સુખ આપવા માટે તો શ્રી જિનેશ્વરદેવો પણ સમર્થ નથી.
આજના સ્વચ્છંદીઓને સુખ શાથી? નાટક સિનેમા વગેરેમાં નહિ જવાની જરા વાત ઉપાડી તેમાં તો કેંકને ફફડાટ થયો ! અને કહેવા લાગ્યા કે, “આઠ દિવસનું વિશ્રાંતિસ્થાન, કંટાળાને દૂર કરવા માટે જવાનું એક સ્થાન, એ પણ સાધુને ખટકે છે,” આવાને સુખ શાથી મળે ? એ તો કહો કે, જૈનસમાજને આજે શું મળે તો એ સુખી થાય ?
સભાઃ તમારી પાસે છે એથી ઊલટું મળે તો.
ઊલટું તો છે, છતાં બૂમ કેમ ? એક પેઢીવાળાનેય સુખ નથી, ચાર પેઢીવાળાને એથી વધારે દુઃખ છે, તો કહો કે, સુખ શાથી મળે ? આજે સુખી ગણાતો શ્રીમાન ઘરથી નીકળે ત્યારથી જ કહે કે, આવ્યો ત્યારે ખરો. બહાર નીકળે કે એક તાર મળે મુંબઈનો; ગાડીમાં બેસે કે બીજો તાર મળે કલકત્તાનો; આદમી એક અને ઉપાધિ ઘણી ! એ તો કહો કે, સુખ શામાં ? કોડમાં કે બે