________________
૫૨૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સારી રીતે કરી શકાય, જૂઠું કેળવીને બોલી શકાય, ચોરી કળાપૂર્વક કરી શકાય, સ્ત્રી પોતાને આધીન થાય અને મનમાન્યો પરિગ્રહ મળે એના માટે જેટલું ભણે, જેટલાં પુસ્તક વાંચે, એ બધું અજ્ઞાન. એની ખિલવણી એ બધી અજ્ઞાનની ખિલવણી છે. જૂઠ વગેરેનો ઉપયોગ ભણેલા વધારે કરે છે કે અભણ ? સભા : ‘ભણેલા ?’
એવા ભણેલા આશીર્વાદરૂપ કે શ્રાપરૂપ ?
1094
આમાં હું ભણતરનો નિષેધ કરું છું એમ ન સમજતા; પણ શા માટે ભણવું એ કહો ! હોશિયાર થવું એ કબૂલ પણ એ હોશિયારી શાના માટે એ સમજાવો !
માટે કોઈ પણ પ્રકારનો જેમાં વિવાદ ન થાય એવું ધર્મનું ટૂંકું સ્વરૂપ (લક્ષણ) બાંધ્યું કે આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સદ્ગતિ, દુર્ગતિ માને નહિ તેનાથી. આ લક્ષણ મનાય જ નહિ. ૫૨લોક માને અને દુર્ગતિ આંખ સામે દેખાય તેં આ પાંચમાંથી એક પણ પ્રાપ નિ:શંકપણે કઈ રીતે સેવે ? આ વિચારવાળા શ્રી સંઘમાં છે અને આ વિચાર વગરના શ્રી સંઘ બહાર છે.
સંઘત્વ વિશિષ્ટ સંઘ ઃ
પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ (બંગલા, વાડી, વજીફા, ફર્નિચર વગેરે) આ પાંચને સેવવાની તથા મેળવવાની કળામાં, એની ખિલવણીમાં શ્રી સંઘનો ઉદય ? શ્રી સંઘની હયાતી અને શોભા ક્યારે હોઈ શકે ? કયા સંઘની આજ્ઞા સર્વને માન્ય હોઈ શકે ? સંઘની આજ્ઞાનું પ્રકરણ નીકળ્યું છે ત્યારે આપણે શ્રી સંઘનું પ્રકરણ કાઢવું પડ્યું છે. શ્રી સંઘની આજ્ઞાનો ખોટો આડંબર ન કર્યો હોત તો આપણે હાલ આ ન વાંચત. પરંતુ કેટલાકોએ જ્યારે બૂમરાણ મચાવી કે ‘અમે સંઘ છીએ, સંઘની આજ્ઞા કેમ ન માને ?’ ત્યારે આપણે આ સંઘનું સ્વરૂપ વિચારવું પડે છે. આજ્ઞા માન્ય ખરી પણ કોની ?
છ મહિનાની જેલનો હુકમ કબૂલ પણ એ હુકમ કોનો ? જેલ૨ પણ જેના તેના હુકમથી જેલમાં ન રાખે. રસ્તે ચાલનારાના હુકમ ન ચાલે. નાનામાં નાના હુકમ માટે પણ યોગ્ય રીતે મળેલી સત્તા જોઈએ. એ સત્તાની રૂએ યોગ્ય સ્થાને બેસીને આજ્ઞા થાય, જ્યાં ત્યાં ન થાય. સંઘ આજ્ઞા કરે પણ તે સ્થાને કે જ્યાં ત્યાં ? ‘સંઘ’ શબ્દનો ઉપયોગ કરો તો સંધત્વ સ્વીકારો. એ ન સ્વીકારોં તો ‘સંઘ શબ્દને આઘો કરો, પડતો મૂકો, ભૂલી જાઓ. જેના નામે અમલ કરાવવો છે તે વસ્તુ તો જોઈએ ને ? એ વસ્તુને સમજાવવા માટે સૂત્રકા૨ને આટલી બધી