SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ઘરબાર બંધાવવા. કડિયા, મજૂર આપોઆપ મેળવી લો છો. એ ક્રિયામાં સાધુનો કે શાસ્ત્રનો ખપ પડતો નથી. શાસ્ત્રનો ખપ શામાં ? પરલોકનાં કાર્યોમાં. ૫૨લોકની વિધિ માટે શાસ્ત્ર છે. આ લોક માટે શાસ્ત્ર ઉપયોગી ખરું પણ કેટલા પૂરતું ? આ લોકની કાર્યવાહીથી લોકને જેટલા અંશે બચાવાય તેટલા પૂરતું. જે આત્માઓ પરલોક સુધારવાની કાર્યવાહીમાં ન જોડાઈ શકે તેવાઓ પણ ત્યાં વધારે ન ગબડે તેટલી કાળજી રાખવા પૂરતું. આ વ્યાખ્યા ભૂલે તેમને માટે જ કહ્યું ગુરુળો મટ્ટા ખાવા- ગુરુ તે ભાટ થયા. એવાઓ શ્રાવકની સ્તુતિ કરે અને પોતાની સ્તુતિના રસિયા શ્રાવકો તે સાંભળે. એ બેય ભેગા થઈને ડૂબે એમ આ મહાત્મા કહે છે. 1092 ધર્મના પ્રકાર ઃ જે દુર્ગતિમાં પડતાં બચાવવા શક્તિમાન નથી તે ધર્મ પણ નથી. હોય તો બોલો ! હવે આગળ ચાલું ? સભા : ‘હાજી !' એ ધર્મના એટલે કે દુર્ગતિમાં પડતાં આત્માને બચાવનાર ધર્મના બે પ્રકાર છે. મૂળગુણ રૂપ અને ઉત્તરગુણ રૂપ. મૂળગુણ આ પ્રકારે છે. सव्वाओ पाणाइवायाओ वेरमणं... ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ. ૨. સર્વથા મૃષાવાદ વિરમણ. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ. ૪. સર્વથા મૈથુન વિરમણ. ૫. સર્વથા પરિગ્રહ વિરમણ. આ મૂલ ગુણો છે. આ પાંચે મૂલ ગુણોને જે પોતે દીપાવે, મજબૂત બનાવે, તે બધા ઉત્તરગુણ. શ્રાવકધર્મ આની અંતર્ગત. આ સંપૂર્ણ તો પેલું થોડું પણ વાત તો એક જ ને ? પેલાં મહાવ્રતો ને આ અણુવ્રતો. જેનાથી મહાવ્રતો ન થાય એ અણુવ્રતો કરે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-આ પાંચેથી સર્વથા અને દેશથી વિરમણ તથા સમ્યક્ત્વ અને દયાદિ ધર્મો વિના દુર્ગતિમાં જતાં કોઈ બચાવે તેમ નથી, એમ લાગે છે કે નહિ ? પ્રાણાતિપાત આદિ પાંચેય જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે. આ પાંચેથી વિરમવું એ જ ધર્મ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy