________________
602
૩૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ પુલાનંદી જીવોને સહેલા ધર્મની અભિલાષા થાય એ સહજ છે. વળી, કેટલાક આજે અન્ય મતમાં ઘણું ટોળું જોઈને સાચા માર્ગમાં ખામી માની બેસે છે. આજે ઘણા કહે છે કે, “બહુમતીને માનવી ! સાચું હોય તો બહુમતી કેમ નહિ ?' એ જ સૂચવે છે કે, અજ્ઞાનને, એટલે વસ્તુસ્વરૂપને નહિ સમજનારને ખોટા પ્રત્યે પણ આડંબરથી અભિલાષા થવાનો સંભવ છે. એ જ કારણે અજ્ઞાન આત્માઓને, પરિણામે અસુંદર એવા ધર્મ પ્રત્યે પણ અભિલાષા થાય એમાં આશ્ચર્ય નથી અને એમ થવામાં પુદ્ગલાનંદ એ પ્રબળ કારણ છે. ' સમયધર્મના નામે સગવડિયા ધર્મની શોધમાં! સભાઃ “સાહેબ ! એથી જ આજે સમયધર્મના નામે સગવડિયો ધર્મ ચાલી રહ્યો
આ છે ને ? સમયધર્મના નામે સગવડિયો ધર્મ ચાલવાનું એ જ મુખ્ય કારણ છે, એમાં કશી જ શંકા નથી. આજે કહેવાતા સુધારકો જેને સમયધર્મ કહે છે. તેં એ. સગવડિયો ધર્મ જ છે. બાકી વાસ્તવિક રીતે તો શ્રી જિનેશ્વરદેવનું શાસન એ જ સાચો સમયધર્મ છે. “સમય”નો અર્થ આગમ પણ થાય અને સમય પણ થાય. પ્રભુએ પ્રરૂપેલો ધર્મ સર્વ સમયને અનુકૂળ જ છે. સાચું સમયનું દર્શન તો પ્રભુશાસનમાં જ થઈ શકે તેમ છે પણ અન્યત્ર નહિ. “પ્રભુનું શાસન સમયને અનુકૂળ છે.” એનો અર્થ એ નથી જ કે સમયની નાશક પ્રવૃત્તિઓમાં પણ પ્રભુશાસન સમ્મત છે. એનો અર્થ તો એટલો જ છે કે જે, જે સમયે જે જે રીતે આત્મશ્રેય સાધી શકાય તેમ હોય છે તે રીતોનું વિધાયક પ્રભુશાસન છે. એ જ કારણે એ શાસનનાં વિધાનો ત્રિકાલાબાધિત હોય છે. આથી એ વસ્તુ સ્પષ્ટ જ છે કે આજના જમાનાવાદીઓ જે પ્રકારે સમય જોવાનું કહે છે તે પ્રકારે સમય જોવાનું આ શાસન ફરમાવતું જ નથી. પ્રભુનું શાસન તો પ્રાણી માત્રનું એકાંતે કલ્યાણ થાય એવું જ વિધાન કરનાર છે. આવા સુંદર શાસનને પામવા છતાં પણ તુચ્છ સુખના અર્થીઓને અથવા તો આડમ્બરના પૂજારીઓને કાંક્ષા થવી અસંભવિત નથી. કારણ કે પુગલાનંદી જીવોનું પુદ્ગલરસિકપણું એ એક ભયંકરમાં ભયંકર પાપ છે. બાકી ‘ઉદારતા સારી છે' એમ કોણ નથી જાણતું ? પ્રાયઃ સૌ જાણે છે પણ લક્ષ્મીની લાલસા ઉપર છીણી કેટલા મૂકે છે ?
સદાચારો સારા છે.” એમ સૌને કબૂલ કરવું પડે છે; તે છતાં પણ વિષયની તીવ્ર લાલસા એ સદાચારોનો ભાંગીને ભુક્કો કરે છે. તપ સારો હોવા છતાં પણ રસની લાલસા તમને ક્યાંય સુવાડી દે છે. ઊંચી ભાવનામાં આત્મહિત હોવા છતાં પણ એ ભાવનાનું મોટા ભાગમાં નામોનિશાન પણ