________________
૨ ઃ કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42
૨૯
૧૪
શ્રી જિનેશ્વરદેવના ધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં અને શ્રી જિનેશ્વરદેવના ધર્મથી વાસિત એવો હું દાસ પણ થાઉં અને દરિદ્ર પણ થાઉં.”
599
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવના ધર્મના અભાવમાં ચક્રવર્તીપણું પણ મારે ન જોઈએ અને જ્યાં શ્રી જિનેશ્વરદેવનો ધર્મ હોય ત્યાં દારિત્ર્ય હોય તો પણ ભલે હોય. ‘એ ધર્મ પામ્યા પછી હું દાસ નથી.' એ ભાવના છે. આ ભાવના આવી ત્યાં દુઃખ હોય જ શાનું ? ધર્મ હોય તો દરિદ્રતાનોય એને વાંધો નથી પણ ધર્મરહિતપણામાં તો ચક્રવર્તીપણાનોય એ ઇન્કાર કરે છે. એટલે કે નથી માંગતો, અને ધર્મની હયાતીવાળા દારિદ્રચપણાનો પણ એને વાંધો નથી. સમ્યષ્ટિની આ ભાવના હોય છે. ચક્રવર્તીપણામાં સુખ હોત તો ધર્મરહિતપણે એ ન માગ્યું તે કેમ બનત ? આથી સમજો કે, ‘ચક્રવર્તીપણામાં સુખ નથી અને દારિદ્રયમાં દુ:ખ નથી.’ ‘સુખ તો ધર્મમાં છે અને દુઃખ ધર્મના અભાવમાં છે,’ એ નિશ્ચિતપણે સમજો !
આ પ્રકારનો જો નિશ્ચય થઈ જાય તો પ્રભુશાસનમાં અવિચળ શ્રદ્ધા થઈ જાય અને એ શ્રદ્ધાના પ્રતાપે, નહિ તો થાય શંકા કે નહિ તો કાંક્ષા થાય. ‘કાંક્ષા’ દોષ પ્રભુશાસનની રુચિ ઘટાડીને ઇતર શાસનની અભિલાષા પેદા કરે છે. એથી બચવા માટે સાચા વિવેકી બનવું જોઈએ અને એ વિવેક દ્વારા વસ્તુમાત્રના સ્વરૂપનો વિચાર કરી પ્રભુશાસનમાં ખૂબ દૃઢ બનવું જોઈએ.
*
૧. “નિનધર્મવિનિર્માવતો, મા પૂર્વ ચક્રવત્તિ ।
સ્યાં રેટોપિ રિટ્રોપિ, બિનધર્માધિવાસિતઃ ।।।"