SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ 1044 ૪૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ પગે લાગીને એ વાત સ્વીકારે. પરંતુ ‘બસ, ઊભા થાઓ, નહિ તો ચાલ્યા જાઓ’ એમ કહો તો લાભ થાય ? તમે શુદ્ધ કરતા હો તે સારી વાત પણ તેથી તમને અન્યની ટીકા કરવાનો હક્ક નથી. તમે ત્રણ કલાકે પ્રતિક્રમણ કરો તે સારી વાત છે પણ તેથી બીજા પણ ત્રણ કલાક કરે જ એવો આગ્રહ ન હોવો જોઈએ. બધાના ભાવ ટકાવવા ખાતર સમયસ૨ પ્રતિક્રમણ પૂરું કરે અને પછી બેત્રણ કલાક શાંતિથી સ્વતન સજ્ઝાય બોલે તો એનો ઇન્કાર નથી. તમે એ જરૂ૨ કહી શકો કે ભાષ્યકારે ફરમાવેલી વિધિ મુજબ જ્યાં જ્યાં સંપદા હોય ત્યાં ત્યાં અટકવાપૂર્વક સૂત્રો બોલવાં. દરેક વિધિ સાચવવી. પણ અવિધિએ કરનારની અવગણનાં ન કરાય. શાસ્ત્ર કહ્યું કે જે જે વિધિ જે જે કાળે કહી તેમ કરવું જોઈએ. ભાષ્યમાં કહેલી વિધિ જાળવવી. સંપદાદિ જાળવવાં. એમાં જેટલી ભૂલ એટલી ખામી. પરંતુ જેમ એ બધી વિધિ છે તેમ અઢી ગાઉમાં સાધુ હોય ત્યાં સુધી શ્રાવક અલગ પડિક્કમણું ન કરે એ પણ વિધિ છે. બીજી વિધિ જાળવનારે આ વિધિ પણ ન જાળવવી જોઈએ-અસ્તુ. હવે રૂઢતાને અંગે આગળ શું કહે છે તે હવે પછી.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy