________________
1091 ——- ૩૧: જેનાથી ડૂબ્યા એનાથી તરવાનું - 71 – – ૪૬૧ થાય તેમાં પણ દુ:ખ થાય. એને સંયમ કઠિન ન લાગે. ન બની શકે ત્યાં પોતાની પામરતા લાગે, તે વખતે પોતાને ઢીલો માને પણ સંયમને કઠિન કે અશક્ય ન માને. આ દરેક વાત યુક્તિથી અને દૃષ્ટાંતથી બરાબર સંગત થાય તેવી છે. બીજરૂપ ભાવના :
સમ્યગ્દષ્ટિની આ ભાવના અને વિચારણા ચાલુ રહે તો સમ્યગ્દર્શન રૂપ પીઠ રૂઢ બને. આજે તો ધર્માનુષ્ઠાનની વાત આવતાં માથું દુખવા આવે, કેડ ભાંગે, શરીરમાં આળસ ઊભરાય, શાથી ? સંસાર વ્યાધિરૂપ ભાસ્યો નથી માટે. સંસાર વ્યાધિરૂપ ભાસે ત્યારે જ સંયમરૂપ ઔષધનો ખપ સમજાય. રોગને રોગ ન માને તે દવા પીવે ? પીવે તો પણ એને શ્રદ્ધા હોય ? અને શ્રદ્ધા વિના વ્યાધિ મટે ?
જેને સંસાર વ્યાધિ લાગે તે સમ્યગ્દષ્ટિ. જ્ઞાનીના વચનની આંશિક આરાધનાના યોગથી એને કાંઈક આરોગ્યની પ્રાપ્તિનો અનુભવ થાય છે. પછી એને ગમે તેવી કઠિન પણ ધર્મક્રિયામાં આનંદ આવે છે અને દુનિયાની કોઈ પણ કાર્યવાહી કરતાં એ કંપે અનુભવે છે. “સવિ૬િ નવો’વાળી ગાથા હવે લાગુ પડે છે; અત્યાર સુધી તો માત્ર બોલવામાં જ હતી નિપ્કસ પરિણામ ક્યારે ન થાય ? સંસારમાં દુઃખ લાગે તો ને ? સંસારમાં આનંદ જ હોય તો નિર્ધ્વસ પરિણામ થાય જ.
. . આ સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાન તથા સમ્યક્યારિત્ર છે કે નહિ ? સમ્યજ્ઞાન તથા સમ્યકૂચારિત્ર બાજુ પર રાખીએ તો સમ્યગ્દર્શન જળવાય ? આ ભાવનામાં સ્થિર આશયવાળાને આ વસ્તુની પ્રાપ્તિ દુષ્કર નથી. એને તો પછી અનંતજ્ઞાન (કવળજ્ઞાન) પણ દુષ્કર નથી. બીજ છે તો ફળ જરૂર આવવાનું. બીજરૂપ આ ભાવના છે. બીજ એવી જમીનમાં અને એવી રીતે વાવવું જોઈએ કે એ ફળે, ભવ્ય આત્માના હૃદયમાં આ બીજ પડ્યા પછી એની આખી સ્થિતિ ફરી જાય છે.
સમ્યગ્દષ્ટિ આત્માને દાન, શીલ, તપ, ભાવ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સંબંધી સઘળાં અનુષ્ઠાનોમાં કાંઈ તકલીફ ન લાગે. એને
જ્યાં તકલીફ દેખાય ત્યાં એ સમજે કે હજી વસ્તુનું ભાન થયું નથી. એને કદી ઉપવાસાદિ તપથી મૂંઝવણ થાય પણ સમ્યગ્દષ્ટિ આત્મા એ મૂંઝવણનો આરોપ તપ ઉપર ન મૂકે; આરોપ એ પોતાની આહારની આસક્તિ ઉપર, પોતાની નબળાઈ ઉપર, પોતાના દોષો ઉપર મૂકે.
સમ્યગ્દષ્ટિને છાજતા વિચારો ત્યારે આવે કે જ્યારે આ વસ્તુ હૈયામાં કોતરાઈ જાય, પરંતુ જ્યાં સંસાર જ વ્યાધિરૂપ લાગતો નથી ત્યાં શું થાય ? જે