________________
597 – ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 ચેટક, એ બધું શા માટે ? ખીસ્સાં ખાલી છે અને ખરચવું ઘણું છે માટે દુઃખ છે. વગર પૈસે ખરચવાની ભાવના એ જ દુઃખ.
સભાઃ શ્રીમંતોની કૃપણતાથી દેવદ્રવ્ય પર નજર ગઈ ને !
એ ન્યાય ક્યાંનો કે કોઈની ઉદારતાના અભાવે બીજો દેવાળું કાઢે ? કોઈ લક્ષ્મીવાન છે પણ પાપોદયે એનામાં ઉદારતા નથી માટે બીજો પાપ કરે ? અને એના ગુનાનો આરોપ બીજે ? બધાં જ પાપ શ્રીમાનોના જ માથે ? કોઈ શ્રીમાનને કહે કે, “આપ ! નહિ તો મંદિરનું દ્રવ્ય ખાઈ જઈએ છીએ અને એનું પાપ તને !' એમ કહીને દેવદ્રવ્ય ખાઈ જાય એનું પાપ શ્રીમાનને લાગે કે એ પાપાત્માને લાગે ? જે જે આત્મામાં તેટલી ખામી છે એમ સમજાઈ જાય તો બધી જ પંચાત ટળી જાય. વળી કેવળ રોટલાની વાત જ આજ ક્યાં છે ? ધર્મના અર્થી હોય અને કેવળ રોટલાની જ અપેક્ષા હોય તો તો બધા રસ્તા છે. પણ એવું ક્યાં છે ?
સભાઃ “પત્ની, પરિવાર, ઠાઠમાઠ બધું જોઈએ છે.'
હવે સમજ્યા ! અરે ! રોટલા ખાનારા, સહાય લેનાર પણ આજે કહે છે કે, “અમે તમારું માનવા બંધાયેલા નથી. અમે ભણ્યા ભલે, તમે અમને ભણાવ્યા પણ તમે કહો તેમ વર્તવાને અમે બંધાયેલા નથી. મરજી આવે તેમ વર્તવાના !” કહો ક્યાં છે સાધર્મિકપણું ? પાપના યોગે ગમે તે અવસ્થામાં પણ અર્થ-કામના અભાવની ફરિયાદ દેવગુરુધર્મ પાસે લઈ જવાય ? કેટલાક તો એવી વાત કરે છે, કહે છે કે, “દેવ પૈસા અપાવે એવા ચમત્કારી જોઈએ અને ગુરુ બેકારી ટાળે એવા જોઈએ. પણ એ વિચાર નથી આવતો કે પાપના યોગે આવેલી બેકારીને કોઈ પણ શી રીતે કાઢે ? ભણેલા ગણાતાઓ પણ પોતાની સહીના મેનીફેસ્ટા બહાર પાડે છે કે, “જૈન સાધુઓએ જૈન સમાજની બેકારીનો સવાલ ચર્ચા વિના 'છૂટકો નથી. હું કહું છું કે સાધુ કદી એ સવાલ ન ચર્ચે.” બેકારી પાપના યોગે આવી છે માટે પાપ ખસેડો, લોભ ટાળી સંતોષ આદરો અને વિષયકષાયને
મૂકી દો.
ખરેખર દુખ શામાં છે ?
સભાઃ મૂળ કારણ તરફ દષ્ટિ જતી નથી.
આજે તો એવા લોકો દુનિયાના સવાલોને ધર્મદ્રષ્ટિએ વિચારવા માંગે છે, અનાચારમાં ધર્મની છાપ મરાવવા માંગે છે ! પણ તેઓને એ વિચાર નથી આવતો કે, પાપમાં ધર્મની છાપ કેમ હોય ? એક માણસ એમ કહે છે, “મારે મરી