SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ 1007 - ૧૯ * તા ૨૯ : સાવધ રહેવાની જરુર - 69. - ૪૭૭ સિદ્ધગિરિની યાત્ર બંધ થઈ ત્યારે ! શ્રી સિદ્ધગિરિજીની યાત્રા જ્યારે બંધ થઈ હતી અને એ ચાલુ કરાવવા મહેનત થતી હતી ત્યારે એક વકીલે ત્રિરાશી મૂકી હતી. એણે લખ્યું હતું કે“જૈનો તો મૂર્ખ છે કે શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ચાલુ કરાવવાની મહેનત કરે છે. વર્ષે દિવસે સરેરાશ પચાસ હજાર યાત્રાળુ યાત્રાએ જાય અને દરેકનું ખર્ચ સરેરાશ દશ રૂપિયા ગણીએ તોયે વર્ષે દિવસે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય. આ પાંચ લાખ બચે તો ચાલુ બેકારીમાં કેટલો ફાયદો થાય ? નાહક આ યાત્રા ચાલુ કરાવવાની મહેનત શી ? આવી ત્રિરાશી મૂકનારાઓ જૈનશાસનમાં રહી શકે? એવાની સાથે સંબંધ રાખનારાઓ, એવાના હાથમાં હાથ મીલાવનારાઓ પોતાના જૈનત્વને જોખમમાં મૂકી રહ્યા છે. એવાને તો કહી દેવું જોઈએ કે “તારા જેવાનું આ સંઘમાં સ્થાન ન હોય.”પચાસ હજાર જાત્રાળુના જાત્રાના લાભ કરતાં પાંચ લાખને વધુ કીમતી માનનારો જૈન નથી. એક જણે તો વળી એમ કહ્યું હતું કે “એવા તો લાખ સિદ્ધિગિરિ ઊભા કરીશું.” અનંતા તીર્થંકર થઈ ગયા તે એકથી બીજો સિદ્ધગિરિ ઊભો ન કરી શક્યા, વિશ વિહરમાન ભગવંતો ત્યાં મહાવિદેહમાં એક સિદ્ધગિરિ ઊભો ન કરી શક્યા અને જેના વર્ણનમાં કહેવાય છે કે-“ચૌદ ક્ષેત્રમાં તીરથ ન એવો” એ સિદ્ધગિરિ, આજનો એ કંગાળ, જેને પેટ ભરવાનાંયે ઠેકાણાં નથી એવો, એ લાખ સિદ્ધિગિરિ ઊભા કરશે ? આવી બડાઈ હાંકનારાની રખેછાતી જ ન બેસી જાય ! જ્યાં કાંકરે કાંકરે અનંતા સિદ્ધિપદને પામ્યા એ ક્ષેત્ર લાવવું ક્યાંથી ? સભા: કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં અનંતા આત્માઓ મુક્તિએ ન ગયા હોય.” 'હા, એ વાત સાચી. કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાંથી અનંતા આત્માઓ મુક્તિએ ન ગયા હોય, પણ અનંત અનંતમાં ફેર છે. આ અનંતુ પેલા અનંતા કરતાં કેટલાય ગણું વધારે, એ કેમ ભૂલી જાઓ છો ? જ્ઞાનીઓએ જ્ઞાનદૃષ્ટિમાં એ જોયું છે માટે એનો મહિમા છે. અનંતજ્ઞાનીઓએ કહ્યું છે ને, કે શ્રી સિદ્ધગિરિનાં દર્શન કરનારો નિયમ ભવ્ય. આવા સિદ્ધગિરિ લાખ તો શું પણ એક પણ ઊભો કરી શકાય ખરો ? અમુક માણસો એવા છે કે એ આવી તકનો લાભ લેવા જ બેઠા છે. બેકારીની બૂમ પડે કે તરત આવી વાતો ઊભી કરી છે. એ વાત સાંભળીને ભૂખે મરતાઓ એ વાતને ઉપાડી લે. ભૂખે મરતાઓમાં આવી ભાવના આવા પાપાત્માઓએ જ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy