SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 592 માટેની પ્રવૃત્તિ તે જ ધર્મ. પણ દુનિયાની કાર્યવાહી ધર્મ નથી જ ગણાતી. ઇતર દર્શનમાં તો એ દુન્યવી ક્રિયા પણ ધર્મ ગણાય છે ને ! “વેપાર એ સાધુ માટે પાપ, પણ ગૃહસ્થ માટે તો ધર્મ. કેમ કે એ વેપાર પર દુનિયા જીવે છે' એ ભાષા જૈનદર્શનની નથી પણ કુમતની છે. છતાં એમાં અનુકૂળતા હોવાના કારણે એ વાત એકદમ રૂચિ જાય છે. આથી ધ્યાનમાં રાખવું જોઈએ કે જૈનદર્શનથી વિપરીત સિદ્ધાંતો તરફ અભિરુચિ એ કાંક્ષા નામનો બીજો દોષ છે અને તે સમ્યકત્વને મલિન કરનારો છે. એક સાધુ પાપ અને પુણ્યનો વિવેક કરે તથા દુનિયાના રાગમાંથી ખસેડી ત્યાગ તરફ વાળે ત્યારે એ જ લેબાસમાં રહેલો બીજો સાધુ રાગની પ્રશંસા કરે; સાંભળનારા તો એ જ, નવા નથી, છતાં એ વાતોમાંથી પહેલી વાત ન રુચિ એનું કારણ કાં તો અજ્ઞાન કાં તો કાંક્ષા. જેને શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા ત્યાગની રૂચિ હોય તેનામાં તો શ્રી જિનેશ્વરદેવના.ધર્મ, પ્રત્યે રાગ ગણાય પણ સંસાર પ્રત્યેના રાગની રૂચિ હોય ત્યાં શું ? રહેવું છે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ ચાલે છે તે ચાલતું રહે તો ઠીક, એ વાત હૈયામાં . બેઠી હોય તે કેમ ચાલે ? એક રીતે તો એ પણ કુમતની અભિલાષા જેવું જ છે; પણ એવાઓ કહે છે કે, “અમે જન્મના જૈન, જૈન કહેવાયા અને જૈનમાં આગેવાન ગણાયા, હવે ઇતરમાં જઈએ શી રીતે ? માટે આમાં થી જ પોલ નીકળે અને ટટ્ટ ચાલે તો ઠીક. આ કેવી અજ્ઞાનતા ? અત્યાર સુધી જેને દેવ ગુરુ ધર્મ માન્યા એમાંથી દેખીતી રીતે ખસવું પાલવતું નથી માટે આમાં જ પોલ પાડી એના આધારે ટટ્ટ ચલાવવાનો પ્રયત્ન એ તો ભયંકરમાં ભયંકર જ અજ્ઞાનતા અને અધમતા ગણાવી જોઈએ. ચાર આશ્રમ અને જૈનદર્શનઃ | ઇતરમાં ચાર આશ્રમ કહ્યા છે - “બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ.” પણ આ દર્શને તો સીધી જ સંયસ્તની વાત કરી છે. પેલા લોકોને રહેવું અહીં અને ભાવના લાવવી છે ત્યાંની. એ શું, એ વિચારો. શ્રી જિનેશ્વરદેવ બ્રહ્મચર્યનું વિધાન કરે. સંન્યસ્તનું કરે, વાનપ્રસ્થાશ્રમનું પણ કરે કેમ કે એમાં અંશે નિવૃત્તિ છે પણ વચલા ગૃહસ્થાશ્રમનું વિધાન કેમ અને કઈ રીતે કરે એ વિચાર્યું ? એ વિચાર શાથી નથી થતો ? કહેવું જ જોઈએ કે, કાં તો પ્રભુનું દર્શન રૂચ્યું જ નથી અને રૂ હોય તો હવે “કાંક્ષા નામના દોષે પોતાની સત્તા જમાવી છે. એ કાંક્ષા કાંક્ષારૂપે ન મુકાય અને સમ્યક્ત્વરૂપે મુકાય એવા બે લોકોના મનોરથ છે માટે એ દોષ તો ભયંકર કોટિમાં જાય છે. સામાન્ય વ્યક્તિ પણ જો તે વિચારે તો કહી શકે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન ઘર માંડવાનું કે સ્ત્રી પરણવાનું વિધાન ન જ કરી શકે.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy