SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 591 –– ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા 42 ૨૧ કરવી પડી હતી. તો પછી, આજના આવા વિચિત્ર સમય માટે તો પૂછવું જ શું? કંઈ પણ કરવું ન પડે અને જૈન કહેવરાવાતું હોય એમાં આજે એવા આત્માઓને હરકત ન હોય એમાં શું આશ્ચર્ય છે ? શ્રી જિનેશ્વરદેવનો મત સુંદર, પણ સહેલાઈ માટે ઇતર દર્શનમાં જવાની ભાવના થાય; એ કાંઈ અસંભવિત નથી. બૌદ્ધ દર્શનમાં સ્નાન, ઇચ્છિત ભોજન અને પાન વગેરેની છૂટ, ગાદલાં વગેરેમાં સૂવાની છૂટ, તમામ સુખસામગ્રીની છૂટ થતાં ત્યાં ધર્મ ગણાવાયો એટલે એવા ધર્મમાં જવાની ભાવના ઝટ થાય પણ એ કાંક્ષા નામનો દોષ છે અને એ સમ્યક્ત્વને દૂષિત કરનારો છે; એ વાત કદી જ ભુલાવી જોઈએ નહિ.૭ જે આત્માઓ, ધર્મની ઇચ્છા કરતાં અનુકૂળતાને અધિક ઇચ્છનારાઓ છે, તેઓને એ ખ્યાલ ભાગ્યે જ રહી શકે છે. એવા આત્માઓ પ્રાપ્ત થયેલા પ્રભુશાસનને સહેલાઈથી હારી જાય છે, કારણ કે, પુદ્ગલાનંદિતા એ ઘણી જ ભયંકર વસ્તુ છે. આત્મા અનાદિ કાળથી પુદ્ગલનો રાગી છે, પુગલનો પ્રેમ તો એનો જીવતો ને જાગતો છે. પુદ્ગલને હરકત ન પડે એ ભાવના તો એની નિશ્ચિત છે, એટલે કોઈ પણ શાસ્ત્રમાં એની સેવાની વાત આવે કે એ તરત પકડે ! “ધર્મ સાચવવામાં આ (પગલ)ને પ્રધાન ન ગણવું જોઈએ.” એવી વાત . આવે ત્યાં શક્તિનાં બહાનાં કાઢે કે જેવી શક્તિ તેવી ભક્તિ અને “આ (શરીર) વિના ધર્મ થઈ શકે તેમ નથી માટે એની સેવા બરાબર કરવી જોઈએ.” એ વાત આવે કે ઝટ પકડે !! અરે એટલું જ નહિ પણ અનુકૂળતાનો અર્થ એવા આધાર તો શોધતો જ ફરે !!! - કેવળ પુલભાવની દૃષ્ટિ અને એમાં ઉપાદેયબુદ્ધિ એ મિથ્યાત્વ છે; પુદ્ગલને અનુકૂળ આવે એવી સહેલાઈવાળી ચીજને આત્મા સહેજે પસંદ કરે છે. એને લઈને જ શ્રી જિનેશ્વરદેવનાં સુંદર દર્શનને મૂકી ઇતર દર્શનની વાતો ગ્રહણ કરવાની અભિલાષા જાગૃત થાય એ કાંક્ષા નામનો દોષ છે. ઇતર દર્શનમાં તેવા પ્રતિબંધનો અભાવ છે. એટલે તેવી તકલીફનું નામ નહિ અને અમુક અમુક ક્રિયા દુનિયાની કરવી પડે તે પણ ધર્મરૂપે મનાય છે માટે એ તરફ સહેજે આકર્ષણ થાય છે, એટલે એ કાંક્ષા દોષ છે એનું પણ અનૂકૂળતાના અર્થીને ભાન રહેતું નથી. સ્વાર્થ માટે ધર્મને નબળો પાડવાની વૃત્તિ ? | ઇતર દર્શનમાં ગૃહસ્થપણું (ગૃહસ્થાશ્રમ) પણ ધર્મ ગણાય છે, અમુક સમયની અમુક ક્રિયા પણ એમાં ધર્મ ગણાય છે. જ્યારે આ દર્શનમાં તો આત્મા
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy