SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – 590 આવા પ્રકારની - કાંક્ષા પણ પરમાર્થ દૃષ્ટિએ વિચારીએ તો ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રણીત કરેલ આગમો ઉપર અવિશ્વાસ પેદા કરનાર છે. એ કારણે ‘કાંક્ષા' નામનો દોષ પણ સમ્યકત્વને દૂષિત કરનાર છે. જેનામાં આસ્તિકાય અજંપ્ય હોય તેને આ કાંક્ષા દોષ ન નડી શકે, એમ સહેલાઈથી સમજી શકાય તેવું છે. શ્રી જિનેશ્વરદેવોએ જે ફરમાવ્યું છે, તેમાં ફેરફાર હોય જ નહિ.' આવા દૃઢ નિશ્ચયવાળાને કાંક્ષાદોષ સતાવી શકતો નથી. કાંક્ષાથી બચવા માટે ભગવાનનો માર્ગ કઠોર છે એટલા માત્રથી પ્રભુમાર્ગમાં ચલચિત્ત ના થઈ જવાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ.. અનુકૂળતાની ભૂખમાંથી કાંક્ષાનો જન્મ! સભાઃ જગતમાં સારું મૂકીને ખોટું લેવાની ઇચ્છા કોને થાય ? બુદ્ધ સાધુઓ માટે તકલીફ વગરનો માર્ગ પણ કાલ્યો જ ને ? માટે સમજો કે તકલીફ વિના થતા ધર્મ તરફ દુનિયા સહેજે આકર્ષાય છે, ઇતર દર્શનનું આકર્ષણ થવાનો પ્રધાન હેતુ તકલીફનો અભાવ હોવો એ છે. જ્યાં શારીરિક તકલીફ ન હોય, તકલીફ વિના ધર્મ થાય છે એમ કહેવાનું હોય અને વગર મહેનતે ધર્મમાં ખપાતું હોય ત્યાં તો ઢગલાબંધ ધર્મી મળે. “મુક્તિ તો બેય ધર્મ કહે છે તો સહેલાઈથી જ્યાં મુક્તિ મળે એ ધર્મ કેમ ન લેવો ? આવા ભાવના તરત આવે છે. પછી એમાં સારાસારનો વિચાર કરવાપણું નથી રહેતું, પણ બુદ્ધિમાન સહેજે વિચારી શકે છે કે, “થોડી મહેનતે ઊંચું સાધ્ય કેમ જ સધાય?” દેવદારની નિસરણી તો સામાન્ય મકાનમાં ચાલે પણ મોટા બંગલામાં કેમ જ ચાલે ? જ્યાં હજારોની અવરજવર હોય ત્યાં દેવદારની નિસરણીથી ન જ ચાલે ! પણ આજે એવી વિચારણા આત્મહિતકર વિષયમાં નષ્ટપ્રાય થઈ ગઈ છે. આ જ કારણે આજે એમ કહી દેવામાં આવે કે, “જૈન થવા માટે તિલક સિવાય બીજા કશાની જરૂર નથી.” ઘરે હળદરના ગાંઠિયાથી પણ તિલક કરી જૈન ગણાવી શકાય છે, તેવા એવા જૈન થનારા ઘણા; અને ઉપરથી મહિને પાંચ-પાંચ રૂપિયા આપવાનું કહેવામાં આવે તો તો પૂછવું જ શું ? શ્રી ઋષભદેવસ્વામીજીના જમાનામાં પણ શ્રી ભરત મહારાજાને પરીક્ષા १. इति, एतदपि घटमानकमेव न दूरापेतम् । तथा परिवाटभौतब्राह्मणादयो विषयानुपमुञ्जाना एव परलोकेऽपि सुखेन युज्यन्त इति साधीयानेषोऽपि धर्म इति । एवं च कांक्षापि परमार्थतो भगवदर्हत्प्रणीतागमानाश्वासरूपा सम्यक्त्वं दूषयति ।"
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy