________________
૨૭ : ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67
ભાગ્યમાં ક્યાંથી સરજાયું ?' એ લોકો કહે છે એવી બહુમતીના કાયદાનો અર્થ તો એ જ કે અનાચારીઓને બજાર વચ્ચે નાચવાની છૂટ પણ પછી નગ૨માં કે ઘરમાં રહેનારી કુળવતીઓના પરિણામ બગડે અને ઘ૨માં ધર્મને બદલે અધર્મનું વાતાવરણ ફેલાય તેનું શું ? એની ચિંતા એમને નથી. બહુમતીની વાતો ક૨ના૨ને પોતાના પગ પર કુહાડો લેવાનું કહો ! એમ કહેશો તો નક્કી બહુમતી આપણી જ થશે. આ થઈ વિધવાવિવાહની વાત. હવે આવો સંઘની વાત ઉપર. સંઘ શું માને અને શું બોલે ?
973
૪૦૩
સંઘના બંધારણની વાતમાં એ બુદ્ધિમાનો કહે છે કે એમાં સાધુ તથા શાસ્ત્રોને વચ્ચે લાવવાનું શું પ્રયોજન ? શાસ્ત્ર કહે છે કે- ગાંડા ભાઈ ! જ્યાં સાધુ તથા શાસ્ત્રો નથી ત્યાં સંઘ જ નથી. એને ટોળાંની ચૂંટણી ભલે કહો પણ એ સંઘની ચૂંટણી ન જ કહેવાય. તો અમને પણ કબૂલ છે, પણ તે કોની ? બહુ છે મતિ જેનામાં, તેની. આવી બહુમતી લાવો તો તેને વધાવી લઈએ. ધારાસભામાં નિયમ કે જે વિષય પર બોલવાનું હોય તે વિષયનો જાણકાર હોય તે જ એ વિષય પર બોલે. એ પણ પરિસ્થિતિને અનુસરતું જ બોલે, અને ‘મને આમ લાગે છે' એમ કહે. પોતાનું બોલવાનું પરિસ્થિતિને અનુકૂળ છે, રાજ્યને આડખીલીરૂપ નથી તથા મૂળ ધ્યેયને હાનિકર્તા નથી એમ સાબિત કરવું પડે. આવી આવડત ન હોય તો બેસી રહેવું પડે. છતાં બોલવા જાય તો ઘંટી મારી બેસાડી દેવામાં આવે. ફાવે તેમ બોલે એ કેમ ચાલે ?
ફલાણાએ ધર્મ કેમ છોડ્યો, એ કોઈ પ્રશ્ન છે ? સારું થયું કે એણે ધર્મ છોડ્યો-આજે થોડા આગળ વધેલા આટલું અવળું વાટે છે તો એ વધારે આગળ વધેલો શું કરત ? જો કે એણે તો ખુલ્લે દિલે ભૂલ્યાનું જાહેર કર્યું છે, પણ આજના કદાગ્રહીઓની વાત ભયંકર છે.
જૈનદર્શન અને ઇતરદર્શનમાં ભેદ ક્યાં ?
ઇતરદર્શનોએ જ્યાં હોશિયારી દેખી ત્યાં દૈવી અંશ મનાવ્યો. હોશિયારને ‘અવતાર’ માન્યા. જૈનશાસન ‘અવતાર’ મનાવતું નથી. જ્યાં ત્યાં દૈવી અંશ માનવાની ના કહે છે. આ શાસન વસ્તુતત્ત્વને માને છે. જેનાં તેનાં બ્યૂગલો ફૂંકી ઓળખાવવાની આ શાસન ના પાડે છે. જેને જચે તે આવે; ન જચે તે જાય. કોઈને રાજી રાખવા સિદ્ધાંતમાં ઘાલમેલ ન ચલાવે. માટે જ કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્માનું અનુષ્ઠાન ક્ષુદ્ર માટે દુષ્કર છે. અસ્તુ. વધુ હવે પછી.