________________
૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૭, બુધવાર, તા. ૧૯-૨-૧૯૩૦
61
• યોગ્ય પરિણામનું સેવન કરો !
સમકિતી દ્વારા કરાતું અનુષ્ઠાન અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કર : સ્વરૂપહિંસા : અમારી કાર્યવાહીની આડે ન આવો !
જૈનજીવન : • એમાં દોષ ધર્મશાસનનો નથી :
વ્યક્તિની અયોગ્યતા વસ્તુને લાગુ ન પડાય : દીક્ષા લેનાર ઉપર જુલમ ન ગુજારવો, એવો ઠરાવ કરો! જૈન ધર્મની વિશાળ દૃષ્ટિ :
દેડકાં મારવામાં શું વાંધો ?' એવું શ્રાવક બોલે ?' • એ પોતાની વાત વધારે છે : - • એવી વાત કરનારાઓને ઓળખી લો!. • દીક્ષા અંગેના ઠરાવ શાસ્ત્ર કરેલા જ છે : ' • સંઘ કેવો અને એમાં કોણ આવે ? • જુન્નર અધિવેશનમાં એક વિધવાનું પ્રગટેલું બ્રહ્મતેજ : • સંઘ શું માને અને શું બોલે ? • જૈનદર્શન અને ઇતર દર્શનમાં ભેદ ક્યાં ?
યોગ્ય પરિણામનું સેવન કરો!
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠની દૃઢતાને રૂઢ બનાવવા માટે ફરમાવે છે કેતેના માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. અજ્ઞાનીઓની વચ્ચે રહેલો અને દુનિયાના અયોગ્ય સંસર્ગોમાં ઊછરેલો સંસારી જીવ યોગ્ય પરિણામનું સેવન ન કરે તો એનું દઢ સમ્યક્ત પણ ખસી જતાં વાર ન લાગે.
આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે