SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65 – ૩૬૭ મરિસ ગીવા, સુમોિસિયા | - I UTદી વર્દ હંતા, નફ ન હંતા નિમાં ” .. આવા મહાપુરુષે આ લખ્યું કે યથારામ ! ક્રિયા આગમ કહે તેમ થાય - આ શબ્દો એમના છે. પક્ષપાતો કે વીરે...વાળા એમની ઉક્તિ મુખપૃષ્ઠ ઉપર લખનારાએ તેમની ઉપરની વાતો પણ બરાબર લખવી ઘટે છે. એમના નામે સમાજને ઉન્માર્ગે દોરનારાઓએ તેમની ઉપરની વાતોનું શરણું લેવું જરૂરી છે. પક્ષપત્તિો જે વીરે. એ પદ તો પોતાની તટસ્થતા તરફ બીજાઓનું ધ્યાન ખેંચવા માટે હતું-પોતે વેદાંતદર્શનમાંથી આવેલા હતા. એ વખતે બધાં દર્શનો પુરપાટ ચાલતાં હતાં. બીજાઓને સાચા માર્ગ તરફ આકર્ષવા માટેનું આ વિધાન હતું. એમણે એ બધાને ઉદ્દેશીને જણાવ્યું કે “ભાઈ ! મહાવીરનો હું કાંઈ પક્ષપાતી નથી અને કપીલનો હું કેવી નથી-“પણ જેનું વચન યુક્તિયુક્ત છે તે મને માન્ય છે પોતાના ભૂતકાલીન સાથીઓ અને પરિચિત પ્રણેતાઓને સાચે માર્ગે ખેંચવા માટે, સાચી વાત તેમના મગજમાં ઉતારવા માટે આ પ્રમાણે તેમણે કહ્યું છે. એ જ પુસ્તકમાં પ્રારંભમાં પ્રખ્ય મહાવીરે લખ્યું છે પણ પ્રાપ્ય વપ. નથી લખ્યું. તે એ લોકોના ધ્યાનમાં નથી આવતું એ વાત ધ્યાનમાં લઈ લોકો આગળ રજૂ કરે તો એમની બધી ઇમારત તૂટી જાય. આ તો ભવને નિર્ગુણ માનવા કહે છે, તે એમને પાલવે.? એક મામૂલી ડીગ્રી મેળવવા ધર્મને વેચી ખાય તે ભવને નિર્ગુણ કહે ? નહિ જેવા માનપાન માટે શાસનને ધક્કો મારે તે ભવને નિર્ગુણ માને ? ખોટી કીર્તિ ખાતર જે પ્રભુના આગમની દરકાર ન કરે તેને ભવ નિર્ગુણ લાગે ? ભવને નિર્ગુણ અને મોક્ષને સગુણ માનનારો વિશુદ્ધ બનેલો-સંવેગ પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિ માટે જ ચેષ્ટા પ્રવૃત્તિ-ક્રિયા કરે-અને એ પણ યથા મ–આગમમાં કહ્યા પ્રમાણે કરે-પૂજા પણ આગમે કહેલી વિધિથી કરે, પોતે માનેલી વિધિથી નહિ-ધર્મષ્ટાની આ વાત છે. ધર્મચેષ્ટા સિવાયની ક્રિયા એ પાપરૂપ, પરરૂપ અને આત્માને હાનિકર માને; એનાથી એ ધ્રૂજે-ધર્મક્રિયા પણ સ્વર્ગાદિ માટે ન કરે-પોતે ગૃહસ્થ છે. બધું કરવું પડે પણ નેવં રળી આ કરવા યોગ્ય નથી. એમ એ માને-આ બધું “પાપરૂપ છે, ત્યાજ્ય છે' એમ એ માને. ભવને નિર્ગુણ માને ત્યારે હવે ભવમાં તો નારકીના જીવો પણ આવે અને અનુત્તર વિમાનવાસી દેવો પણ આવે. જેમ નારકી ન ઇચ્છાય તેમ સર્વાર્થસિદ્ધ વિમાન પણ ન ઇચ્છાય. સંસારનું પ્રગટ અધિકમાં અધિક સુખ સર્વાર્થસિદ્ધ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy