________________
- ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65 – – ૩૯૫ માટે આવી વાતોમાં ખેંચાતા નહિ. તમારા આત્માને એટલો બળવાન બનાવો કે કોઈપણ નિમિત્ત મળતાં પણ એ બળ ઘટે નહિ. પાણીનું પૂર આવે ત્યારે પાળ ન બંધાય. બાંધતાં બાંધતાં તો બધું તાણી જાય. તે વખતે તો એ પૂરને બીજી દિશામાં વાળી લેવાની કાર્યવાહી કરવી જોઈએ.
લોટામાં કે મટકામાં ભાગ કે નશાવાળો પદાર્થ પડ્યો હોય તો તો લોટાને ફેંકી દેવાય અને મટકાને ફોડી નંખાય પણ જે સરોવરમાંથી પાણી આવતું હોય એમાં જ ભાંગ કે નશાવાળો પદાર્થ પડ્યો હોય અને ઘરે ઘરે દરેક નળ દ્વારા એ પદાર્થ પાણી સાથે આવતો હોય ત્યાં શું થાય ? ત્યાં તો બને તેટલું ચોખ્ખું પાણી બહારના કોઈ કૂવા વગેરેમાંથી મેળવી પીવું, બાકીનાથી દૂર રહેવું; એ જ ઉપાય છે.
પ્રભુના શાસનનો સેવક તે કહેવાય કે જે સંસારને નિર્ગુણ માને, મુક્તિને સગુણ માને અને પ્રયત્ન મોક્ષ માટે જ કરે. તે પણ કઈ રીતે કરે ? આગમ કહે તે રીતે-આ પ્રમાણે બોલવું પડશે. કોઈ એમ કહે કે વચ્ચે આગમ ક્યાં લાવ્યા ? તો કહી દેવું કે- “ભાઈ બહાર જાઓ.” પેલો કહે કે “આ તો તમે મોકાણ માંડી” -તો કહી દો કે આગમને અવગણવાથી આટલી તો મંડાઈ છે અને હજી વધારે મંડાશેઅને અંતે પાયમાલ થશો-ચોરે ગમે તેટલા ચકોર હોય પણ આખરે તો સરકાર પકડે જ-એ રીતે આગમની અવગણનાનાં ફળ પ્રત્યક્ષ જોવા મળશે. કહ્યું છે કે
• ગવુપુખથાપનામિદેવ પસ્ટમ્ ' અર્થ: “અતિ ઉગ્ર પુણ્ય-પાપનાં ફળ અહીં જ મળે છે.”
ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. આ દશકા-વચકામાં આગમની અવગણનામાં કમીના નથી રહી-પરિણામે અત્યારે બેકારી વધી રહી છે. હજી અવગણના થશે તો ભલે મોટી કૉલેજો, કારખાનાં ખોલો, લાખોની આવકના ઢગલા દેખાય પણ તે વખતે ક્યાંય સુરંગ ચંપાઈ જતાં બધું સળગવા માંડશે. અનાયાસે ઉપદ્રવો જગશે. કારખાનાં રહી ગયાં અને પૈસે પાયમાલ થઈ ગયા એવા ઘણા છે. માલ ભરેલી સ્ટીમરો ડૂબી ગઈ જેનો પત્તો પણ ન લાગ્યો. ક્યાં ગઈ બધી મહેનત ? કહો કે પાણીમાં. ઘણી મોટી પેઢીઓ ઘડીવારમાં સાફ થઈ ગઈ. આમ કેમ બન્યું ? પાપનાં પરિણામ-પ્રપંચી ભોળાઓને જાળમાં ફસાવવાનો ધંધો કરે ત્યાં આવાં પરિણામ આવે એમાં નવાઈ શી ? આ તો મામૂલી પરિણામ-પણ પછી દુર્ગતિમાં ફેંકાઈ જશે ત્યારે ખરી ખબર પડશે. એક દિવસ એવો સમય આવશે કે એવાથી અહીં પણ જાહેરમાં ઊભા નહિ રહેવાય.
સંસાર તમને ભયંકર લાગે છે ? શંકા નથી ને ? એમ માનવામાં પેલા