________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કરણીય શું ? મોક્ષસાધક અનુષ્ઠાનો; એ કરાય કઈ રીતે ? આગમ કહે તે રીતે; એ કરાય શા માટે ? મોક્ષ માટે.
૩૭૪
934
જેને ભવ નિર્ગુણ લાગે નહિ, મુક્તિ ગુણમય ભાસે નહિ, એ બધા સંઘમાં કે સંઘ બહાર ? આ વર્ણન સંઘનું ચાલે છે ને ? જેને મુક્તિની સગુણતા ભાસે નહિ અને સંસાર મજેનો દેખાય એ બધા સંઘ બહાર છે. એવાઓ સંઘમાં અભિપ્રાય આપે એ ચાલે ? એવાઓને અભિપ્રાયની છૂટ અપાય તો. એ સંઘમાં આગ લગાડે કે પાણી છાંટે ? અભિપ્રાય કોણ આપે ?
પ્રભુશાસનવર્તી સમાજમાં અભિપ્રાય આપવાની સત્તા લેભાગુઓને ન હોય. જે સંસારને હેય માને, મોક્ષને જ સાધ્ય માને તેવાને અભિપ્રાય આપવાની આ શાસનમાં છૂટ છે. જેમનાં મૂળ સડેલાં છે, જેમના પાયા દોદરા છે, તેવાના અભિપ્રાયની કોઈ કિંમત નથી. આવું પોતાના આત્માને, સાથીને, કુટુંબીને, ઘરમાં અને બજારમાં સૌને કહી શકશો ? વિરોધીને પણ આ વાત સંભળાવી શકશો ?
સમ્યગ્દષ્ટિ સઘળી પ્રવૃત્તિ શા માટે કરે ? કહે છે કે તર્થક્ મોક્ષ માટે કરેચાર પદમાં કેટલી વાતો કરી ? આખી દ્વાદશાંગીનો સાર એમાં સમાવ્યો છે. આમાં સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાવસ્થા, ધર્મધ્યાન, શુક્લધ્યાન, કેવળજ્ઞાન અને મુક્તિપદ એ બધું આવી જાય છે. આ શ્લોક પર ચૌદપૂર્વીને બોલવા બેસાડ્યા હોય તો તમને ઊઠવા’જ ન દે. આપણી એ તાકાત નથી. કેટલા અનુભવથી આ લખાયું હશે ! ભારેકર્મી આત્માને આ વચનો જચે નહિ. આવા સંસારના રસિયાને આ વચનો ન ગમે એમાં આ વચનોનો શો દોષ ? એમનો તો સ્વભાવ જ એવો છે કે એમને તો આ મેનીયા લાગે. ધર્મ ‘યથામતિ' નહિ પણ ‘યથાગમ' કરવાનો !
ન
આ શાસ્ત્રકાર તો કહે છે કે-‘ભવ નિર્ગુણ માની મોક્ષ સગુણ માને તો જ આત્મા વિશુદ્ધ બને; અને પછી મુક્તિને માટે પ્રયત્ન કરે, એ પ્રયત્ન ગમે તેમ કરે ? ના-વથામમ્-આગમમાં કહ્યા મુજબ કરે.
સભા ત્યાં યથામતિ -એમ કહ્યું હોય તો ?
-આજનાઓ એટલું જ માગે છે. પણ ત્યાં ‘મતિ’ શબ્દ મૂકો એટલે આમાંની બીજી એક પણ વાત લાગુ ન થાય. સંકલના એવી છે કે એમાં એક પણ બનાવટી શબ્દ ઘૂસે તો બધું જાય-‘થામતિ' પછી ત્યાં ભવની નિર્ગુણતા, મોક્ષની સગુણતા, તર્થક્ મોક્ષ માટે આત્મવિશુદ્ધિ, આ બધું લાવવું ક્યાંથી ?