________________
917
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૭
ગણાય છે. આવા મંદ મિથ્યાદૃષ્ટિ માર્ગાનુસારી હોય ત્યારે જેમ અજાણ માણસ વગર જાણ્યું પણ અનાયાસે સીધા માર્ગે ચાલે તેમ આવા મંદમિથ્યાષ્ટિ માર્ગાનુસારી પણ અનાયાસે સીધા માર્ગે ચાલે છે.
ભર્તુહરિ પહેલાં મોહાંધ હતા, ઠોકર લાગી અને જાગ્રત થયા, નજર સામે બધું જોયું-જ્ઞાનદૃષ્ટિ જાગી. પછી કહ્યું કે “વસ્તુ માત્રનો વિયોગ જરૂર થવાનો. જેનો સંયોગ તેનો વિયોગ નક્કી છે ! ક્યાં તો વસ્તુને છોડીને આત્મા જાય, ક્યાં તો આત્માને મૂકીને વસ્તુ જાય. જેનો વિયોગ થવાનો જ છે તેનો ત્યાગ કેમ ન કરવો ?” મિથ્યાદૃષ્ટિ છતાં આ વિચારણા જાગી ! એ વિચારે છે કે “વિયોગ નક્કી છતાં જગત ત્યાગી કેમ નથી બનતું ? વિયોગ થવાથી આત્માને પારાવાર દુ:ખ થાય, ક્લેશ થાય, આત્મા મૂંઝાય; જ્યારે ત્યાગ કરવાથી આનંદ અને સુખ થાય છે.” વાત પણ ખરી છે કે લાખનો હીરો લૂંટાઈ જાય તો માણસ પછાડ ખાય પણ કોઈને દાનમાં આપે, ત્યાગ કરે ત્યારે આનંદ થાય. બન્ને પ્રસંગમાં હીરો જવાનો એ તો નક્કી.
સભા: ‘ત્યાગ કરવાની ભાવનામાં હોય અને ઝુંટવાઈ જાય તો ?”
-ભાવના પૂરી હોત તો દનમાં અપાઈ ગયો હોત, ઝુંટવાત નહિ; પણ ભાવનામાં પોલાણ હતું. હાલ ભાવનાની લૂખી વાતોને ગૌણ કરો. ભાવપૂર્વકની કે ભાવ લાવે તેવી ક્રિયાનો આશ્રય કરો ! જો દે તો દુનિયા ઉદાર કહે અને ઝુંટવાય તો કહે કે-“કૃપણનો કાકો હતો. એ જ દાવનો હતો.” ચીજ જાય, દુઃખ થાય અને ઉપરથી લોકના જૂતાં પડે. બધી રીતે દુર્દશા. શ્રી ભર્તુહરીએ આવો નિચોડ કાઢી રાજ્ય તર્યું. સુખને દુઃખ માને એને મૂંઝવણ શી ? આ સંવેગ છે!
સભાઃ મિથ્યાદષ્ટિને સંવેગ આવે ?'
-હા. એ સ્થિતિમાં આવી શકે એવો આવે. સંવેગ આવ્યા પછી આજે જેમ છતી સામગ્રીએ ધર્મ થતો નથી તેવી અવસ્થા નહિ રહે, સંસાર અને સંસારની સામગ્રીમાં મારાપણાની ભાવના નહિ રહે. ધર્મ અને ધર્મસામગ્રીમાં મારાપણાની ભાવના જાગશે. આજે તો ધર્મ અને ધર્મસામગ્રી પ્રત્યે મારાપણાનો ભાવ નથી. એ મારાપણાનો ભાવ હોય અને પછી ધર્મ ઉપર આવેલ આપત્તિનો સામનો તાકાતના અભાવે ન થાય અને ધર્મને હાનિ થાય તે વાત જુદી-પણ મારાપણાની ભાવનાવાળો આપત્તિ વખતે શક્તિ અનુસાર રક્ષાનો પ્રયત્ન કર્યા વિના ન રહે. એ પ્રયત્ન કર્યા પછી પરિણામ ન આવે તો પણ એને લાભ તો