________________
07
૩૩૭
- ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા ! - 63 - પારકી આશાએ જીવનારા મરવાને જન્મેલા છે. લક્ષ્મીના આધારે જિવાય ?
માલિક તો કહે કે “હું તને તિજોરીમાં તો ન જ બેસી રહેવા દઉં. જુદો જ ઉપયોગ કરું લક્ષ્મી તમારી કે તમે લક્ષ્મીના ? આ તો થેલી ઉઘાડે ને બંધ કરે, જોયા કરે ને હાથ ફેરવ્યા કરે અને આનંદ પામે. પણ એવા તો ઘણા રવાના થઈ ગયા-શ્રીમાન સો ગાઉ દૂર ગયા ને ફના થવાના તાર સમાચાર આવ્યા. ચાવીનો ઝૂમખો કેડે રહેવામાં આનંદ હતો તે ચાલ્યો ગયો. આવા દાખલા જોયાસાંભળ્યા છે કે નહિ ? એવી રીતે જીવો કે લક્ષ્મી જાય તોયે જગત પૂજે. લક્ષ્મીનાં જ આધારે જીવનારા તો લક્ષ્મીના ગુલામ છે.
તમે આ સાંભળી ગુસ્સો ન કરતા. મને દયા આવે છે કે આ બિચારા રખડી મરશે; માટે જ આટલું કહું છું. આવો. કોઈ લક્ષ્મીવાન મને આંજી ગયો નથી કે હું અંજાવા ઇચ્છતો નથી. જે લક્ષ્મીની ગુલામી કરે છે તે દેવ-ગુરુ-ધર્મની સેવા કરશે ? એનાથી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ થાય ?
પેથડશાહના પિતાએ મૃત્યુ સમયે પેથડશાહને બોલાવીને પૂછયું કેકરોડોની મિલકત છે તેમાંથી તું કહે તેટલી રાખું, બાકીની વાપરી નાખું.' પિતા પાસે સુવર્ણસિદ્ધિ પણ હતી. વિદ્યાથીએ સિદ્ધ થાય. પેથડશાહે એ સુવર્ણસિદ્ધિ પોતાના માટે રાખીને બાકીની બધી મિલકત વાપરી નાંખવા જણાવ્યું. પિતાજીને કહ્યું કે આ બધી મિલકત આપની કમાયેલી છે અને આપ વાપરોમારે એમાંથી એકપાઈ પણ ન જોઈએ.
સભા: “સુવર્ણસિદ્ધિ તો માગી ને ?'
-માગી, પણ એ તો વિદ્યા હતી. ફળે કે નહિ તે શંકા હતી છતાં એક પાઈ પણ ન રાખવા કહ્યું. “બધું વાપરો, માત્ર ચોપડા આપો, ઉઘરાણી વસૂલ કરી રોટલા ખાઈશું એવું કોઈ દીકરાએ એના બાપને કહ્યું ખરું ? ત્યાગની વાતને સમજવાનો પ્રયત્ન કરો, ઉડાડવાની કોશિશ ન કરો !
પિતાએ તમામ મિલકત સાતેય ક્ષેત્રમાં વાપરી નાખી. પાછળથી ભાગ્યયોગે સુવર્ણસિદ્ધિ પણ ન ફળી. પણ કોઈ દિવસ પેથડશાહને ગ્લાનિ ન આવી. સામાન્ય સ્થિતિમાં વર્ષો ગાળ્યાં પણ પ્રભુપૂજા, ધર્મક્રિયા, વ્યાખ્યાન શ્રવણાદિ ને છોડ્યાં. આવી મનોવૃત્તિ જ્યાં હોય ત્યાં લક્ષ્મીને આવ્યા વિના ચાલે ? પછી તે અઢળક લક્ષ્મી કમાયા અને ધર્મકાર્યોમાં પુષ્કળ સદ્વ્યય કર્યો.
જર, જમીન અને જોરુ પુણ્યયોગે મળ્યાં છે પણ એ તમારાં નથી. તમારી