________________
889 – ૨૨ : ભૂત ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૧૯ જોઈએ. સમાચાર ઊભા થઈ સાંભળતા પછી પાંચ-સાત કદમ આગળ જઈ વંદન કરી પછી સિંહાસને બેસતા હતા.
આજે તો કહે છે કે “આ જમાનામાં પૂજા, સામાયિક, પડિક્કમણાના ટાઇમ હોય ?' આજના વેપાર જુદા, રીતભાત જુદી, રાતના અગિયાર, બાર, એક વાગે આવે. સવારે આઠ વાગે ઊઠે, બે ગરમાગરમ ચાહના ગ્લાસ પેટમાં રેડી આ ચાલ્યા. આવી દશા છે. એવાને સંસારમાં ન રમવાની વાત ગમે ? સંસારમાં કોણ ન રમે ? જે એને બરાબર જોઈ શકે છે. કોણ જોઈ શકે ? જે માત્ર વર્તમાનને ન જોતાં ભૂત અને ભવિષ્યનો વિચાર કરે તે.
સભાઃ ભૂતકાળનો પણ વિચાર કરવો પડે ?
-વર્તમાનકાળ એ ભૂતકાળની મહેનતનું ફળ છે અને વર્તમાનની કરણીનું ફળ ભવિષ્ય છે. ભૂતકાળના બળે જ આજની સ્થિતિ છે. ભૂતકાળની કિંમત સમજાય તો જ ભવિષ્યની વિચારણા થાય.
વોરં? યુતઃ સમાથાત ? એ ભૂતકાળની વિચારણા છે. સભાઃ “તો પછી અતં શોવ એમ કહ્યું છે, એ શાથી ?”
આત્માને આર્તધ્યાન થાય તેવા પ્રસંગે આર્તધ્યાનથી બચવા માટે એ વિચારવાનું છે. બાકી તો ભૂતકાળની વિચારણા ખાસ કરવાની છે. ભૂતકાળની વિચારણા કરવાથી જ ભૂતકાળની ભૂલોનો અને એનાં પરિણામોનો ખ્યાલ આવે અને ભવિષ્યમાં એવાં પરિણામોથી બચવા વર્તમાનમાં તેવી ભૂલો ન થાય તેની કાળજી, જન્મ. વળી ભગવાન શ્રી મહાવીરદેવ વગેરે ચોવીસેય તીર્થંકરદેવોનું તથા તેમની આજ્ઞાનું સ્મરણ એ પણ ભૂતકાળની જ વાત છે ને ?
સભા: ‘એ તો સ્વાધ્યાય છે.”
-તો એ રીતે “હું કોણ ? ક્યાંથી આવ્યો ?' વગેરે વિચારણા એ પણ સ્વાધ્યાય છે; માટે ગભરાવાની જરૂર નથી.
ભૂતકાળની વિચારણા ભુલાઈ માટે તો ભવિષ્ય તરફ નજર જતી નથી. મારું ઘર, મારી લક્ષ્મી' કરે છે પણ શાસ્ત્ર કહે છે કે એ તારું નથી. એ તારું શાથી ? આવ્યું ક્યાંથી ? એ વિચાર ! એ વિચારવા માટે ભૂતકાળ તરફ નજર દોડાવવી પડશે. ભૂતકાળના ઉપકારોનો વિચાર ન કરે તો બાળક માતાપિતાને હાથ જોડે? ભૂતકાળની વિચારણાની કિંમત બહુ છે. ન માને અને ગમે તેમ બોલે તે જુદી વાત પણ વિચાર કરે તેને માન્યા વિના ચાલે જ નહીં.
સભાઃ “વાણીસ્વાતંત્ર્યનો યુગ છે ને ?