________________
887 – ૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 - ૩૧૭ અને માને પણ ખરો, વિષયના ભયંકર ભવિષ્યને પણ સાંભળે, આ બધું છતાં જીવનમાં એ બધી વાતો ઉતારવાનું કોઈ કહે તો એને અડવા ન દે.
ઠીક છે. ભૂત-ભવિષ્યની વાતો સાંભળે, માને એટલે દરજ્જુ ઘોર મિથ્યાદૃષ્ટિઓ કરતાં આ આત્માઓ પુણ્યવાન ખરા; પણ કેવળ માન્યતામાં જ ક્યાં સુધી રહેવાનું ? કેવળ માન્યતા ધરાવનારા પહેલે ગુણઠાણે મંદમિથ્યાવીપણામાં કે ચોથે ગુણઠાણે અવિરત સમ્યગ્યદૃષ્ટિપણામાં હોય. પણ એમને ત્યાંથી પાંચમે, છછું જવાની ઇચ્છા હોય કે નહિ ? તમારે પણ એ રીતે પહેલે કે ચોથે જ રહેવું છે કે પાંચમે છછું જવું છે ? અનુત્તરવિમાનવાસી દેવો તદ્દન નિર્વિકાર હોય છે, લગભગ કષાય વિનાના, જેમની જિંદગી આખી પદ્રવ્યના ચિંતનમાં જ જાય, પણ ગુણસ્થાનક ચોથું ! કારણ કે બધું માન્યતારૂપ હોય છે, વર્તાવ નથી. વિકાર નથી પણ અબ્રહ્મ સેવું નહિ, સેવરાવું નહિ એવી પ્રતિજ્ઞા છે ? નથી. માન્યતા ગમે તેવી ઊંચી પણ એ સ્થાન જ એવું કે ત્યાં વિરતિ ન હોય. મારે તો તમને છછું ગુણઠાણે લાવવા છે. તેની જ આ મહેનત ચાલે છે. કબૂલાત પણ બે રીતે ! '
પુણ્યયોગે સામગ્રી મળી એ છૂટતી કેમ નથી ? છોડવા જેવી માનું છું એમ કહે પણ શાલિભદ્રની વાત આવે, ત્યાં કહે કે “એ મહાન અને અમે પામર !” આમ તરત પોતાની પામરતા કબૂલે જેથી આગળ વધવું જ ન પડે. આ કબૂલાત સાચી છે ? કબૂલાત બે રીતે થાય છે. એક હૃદયના દુઃખથી અને એક પોતાના બચાવ માટે અગર તોં વાતને કાપી નાખવા માટે. તમારી કબૂલાત હૃદયના દુઃખથી હોય તો હું રાજી. એવાને તો બોલતાંયે હૈયામાં ચીરાડો પડે. જ્યારે બચાવ માટે બોલનારા એવી રીતે બોલે કે જેથી વાત આગળ વધે જ નહીં. એવા માટે તો કઈ ઉપમા આપું ? હૃદયના દુ:ખથી કબૂલાત કરનારો તો કદમ કદમ વધે, એ વધ્યા વિના ન જ રહે. આગળ વધવાના એના પ્રયત્નો ચાલુ જ હોય. સમ્યગ્દષ્ટિ જીવની મનોદશા :
જન્મથી સમ્યક્ત્વ યોગે વિરક્ત ભાવનાવાળા સંસારમાં રહેલા આત્માઓ સહજ નિમિત્ત પામતાં તરત સંસારથી ખસે છે. નિમિત્ત મળ્યા પછી જરાયે ઊભા રહેતા નથી. ધનાજીને સ્ત્રીઓએ એટલું જ કહ્યું કે-“કહેવું સહેલું છે, કરવું કઠિન છે' તો એટલી વાતમાં એ ચાલી નીકળ્યા. કહી દીધું કે-“આટલી જ વાર, લો કરી બતાવું !” સ્ત્રીઓએ કહ્યું કે “આ તો મશ્કરી હતી.' ધનાજી કહેઆપણી મશ્કરી પણ આવી-એ નિષ્ફળ ન જાય” તમને તો સ્ત્રીઓ ગમે તેવાં