________________
883
૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો !
- 62
૩૧૩
જોયું કે આ આગમોને યાદ રાખનારા હવે દેખાતા નથી અને જ્ઞાન તો જવા માંડ્યું, તો એના વિના ભવિષ્યના જીવોનું થશે શું ? માટે એમણે આગમો પુસ્તકારૂઢ કર્યાં જ્યારે આજે એ માટે એવું બોલાય છે કે-એ તો એમના માટે લખ્યાં છે. આપણે શું ?' આ તો શિક્ષક વિદ્યાર્થીને શિખામણ આપે કે-‘નહિ ભણે તો મોટો થઈને ભીખ માગીશ' ત્યારે વિદ્યાર્થી કહે કે-શિક્ષકને પગાર જોઈએ છે માટે ભણવાની શિખામણ આપે છે'-એના જેવી વાત થઈ. એ ઉપકારી, ભવિષ્યના જીવો માટે અપવાદનું આલંબન લઈને આગમો પુસ્તકારૂઢ કરી ગયા, ત્યારે આ કહે છે કે-એ તો એમના માટે કરી ગયા, એ અંધારિયા કૂવાને ક્યાં સુધી વળગી રહેશો ?’
આવી કલ્પનાનું કારણ એક જ છે કે એમની દૃષ્ટિ ભૂતકાળને પરખતી નથી, ભવિષ્યને વિચારતી નથી, કેવળ વર્તમાન પર જ નિર્ભર છે.
એવાને ધર્મ સમજાવવા પ્રયત્ન કરવો એમાં કેવળ કંઠશોષ સિવાય બીજું કાંઈ ફળ નથી. ધર્મને માટે એ જીવો યોગ્ય જ નથી. ભૂતકાળનો વિચાર ન કરે, ભવિષ્યની ચિંતા ન કરે, એવા જીવોને ધર્મ કદી રુચિકર થવાનો નથી. એ લોકો તો માને છે કે ‘ભૂતકાળની વાતોમાં કેવળ ગપ્પાં છે; ભવિષ્યકાળની વાતો માત્ર ભય બતાવવા માટે છે, વર્તમાનમાં જે સમયે યોગ્ય લાગે તે કરવું.' આવાની સાથે વાત શી કરવી ?
જેમ અનુમાન, આગમ, પ્રત્યક્ષ અને ઉપમાન એ ચાર પ્રમાણમાં એકને ન તેમ ભૂત અને માને અને બાકીનાં ત્રણને માને તેને પણ નાસ્તિક કહેવાય છે, ભવિષ્યકાળની અવગણના કરીને માત્ર વર્તમાનને જ માને તે પણ નાસ્તિક
ગણાય.
માત્ર વર્તમાનનો જ વિચાર કરે તે નાસ્તિક :
‘હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ વિચારો એ આસ્તિક્યનું લક્ષણ છે.
સભા ‘વર્તમાન એ શું ?’
ચાલુ જીવન. વધારે સૂક્ષ્મતાથી કહો તો માત્ર ‘સમય' પણ એવાને ‘સમય’ ની વાત ક્યાં સમજાવવી ? વર્તમાન ગયો તે ભૂત બન્યો અને ભવિષ્ય હતો એ વર્તમાન બન્યો.
સભા
‘સમયધર્મ, વર્તમાન જમાનો જોઈ, એ મુજબ ઘડતર ઘ છે.’
-એ રોજ ઘડે ને રોજ ફોડે, એની એને કોણ ના પાડે છે ? પણ ઘડ્યું કેમ ?