________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઠાનાં ફળ નીચે પાડ્યાં અને કહ્યું કે ‘ધારું તો આ જ રીતે તમારા બધાનાં માથાં ભોંય ભેગાં કરું-પણ હૃદયમાં રહેલી પિતૃભક્તિ એમ કરતાં અટકાવે છે-’ પછી તો ત્યાં એને વૈરાગ્ય જાગ્યો. દીક્ષા દીધી. તપસ્વી બન્યા. માસક્ષમણાદિ ઘોર તપ કરી શરી૨ કૃશ કરી નાખ્યું.
૩૦૦
870
એક વખત માસક્ષમણાના પા૨ણે મથુરાનગરીમાં ગોચરીએ નીકળ્યા. ત્યાં તે વખતે પ્રસંગવશાત્ વિશાખાનંદી પણ આવેલો હતો. તપસ્વી મુનિને માર્ગમાં એક ગાયે પાડી નાખ્યા. એ જોઈ વિશાખાનંદી હસ્યો અને મુનિને હ્યું કે ક્યાં ગયું તે બળ કે જ્યારે એક મુઠ્ઠી મારી બધાં કોઠાંનાં ફળ પાડ્યાં હતાં ? મુનિથી આ હાંસી સહન ન થઈ. પેલી ગાયને શીંગડાંથી પકડી ગોળ ગોળ ભમાવી આકાશમાં ઉછાળીને નીચે પડતાં ઝીલી લીધી અને પોતાનું બળ બતાંવી આપ્યું. ત્યાં તે વખતે જન્માંતરમાં બળવાન થવાનું નિયાણું કર્યું. બળ મળ્યું. વાસુદેવ થયા અને ત્યાંથી મરીને સાતમી નરકે ગયા.
કહો ! તમારે બળવાન શા માટે થવું છે ? પરિણામ જુઓ ! કર્મસત્તા પાસે પોપાબાઈનું રાજ્ય નથી ચાલતું. આટલી ચકોરું ગવર્નમેન્ટ પાસેથી કદાચ ગુનો ક૨ના૨ છૂટી શકે, પકડાયા પછી કુશળ ધારાશાસ્ત્રીની દલીલોથી ગુનો કર્યા છતાં છૂટે પણ કર્મસત્તાના સામ્રાજ્યમાં એ નહિ બને. ડોળ, દમામ, આડંબર છોડી સીધા બનવાની જરૂ૨ છે. પૈસા માટે બહુ ઉધમાત ન કરો ! થોડાઘણા સ્વાર્થ માટે આત્માનું સત્યાનાશ ન વાળો ! દૃષ્ટિ ફરે ત્યાંરે જ સંસારની અસારતા સમજાય. દૃષ્ટિ ફે૨વવાનું શિક્ષણ પ્રચલિત ન થાય ત્યાં સુધી જૈનત્વ આવશે નહિ અને ટકશે પણ નહિ. જૈન જાતિમાં જન્મવા માત્રથી જૈનત્વ આવતું નથી, તેમ અન્ય જાતિમાં જન્મવા છતાં ધાંધલ કરવાથી પણ આવતું નથી.
વીસમી સદીમાં અહિંસાનો પુનરુદ્ધાર ?
આજના કેટલાક કહે છે કે વર્તમાનકાળમાં અહિંસાનો ઉદ્ધાર થઈ રહ્યો છે. ભગવાન મહાવીરદેવની અહિંસાનો પુનરુદ્ધાર આ વીસમી સદીમાં થાય છે, એ વાત ખરી છે ? એ અહિંસા આ સદીમાં આગળ વધી કે પાછળ પડી ? એ વાત સાચી કે-ભગવાન શ્રી મહાવીર દેવના જમાનામાં અને તેમની હયાતીમાં અહિંસાનો ઉપયોગ દુનિયાદારીનાં સાધનોમાં નહોતો થતો; જ્યારે આ વીસમી સદીમાં દુનિયાના સ્વાર્થ માટે ‘અહિંસા' શબ્દનો ઉપયોગ થાય છે, થવા લાગ્યો છે.
સભા : “અહિંસા' શબ્દનો ?'
-હા. અર્થ દૂર છે, ઘણો દૂર છે. ભગવાન શ્રી મહાવીરદેવની અહિંસાનો