SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ 855 - ૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61 ૨૯૫ આત્માના સુખની, જે શાશ્વત અને સંપૂર્ણ છે. લોક શરીરના આરોગ્યની વાત કરે છે જ્યારે આ શાસ્ત્રો આત્માના આરોગ્યની વાત કરે છે. શાસ્ત્ર કહે છે કે શરીર સડે એની ચિંતા ન કરો કેમકે એનો સ્વભાવ જ એવો છે. એ અંતે નાશ પામવાનું જ છે. આત્મામાં બગાડો ન થાય એની ચિંતા જરૂર રાખો. એ ચિંતા નહિ રાખો તો ભારે નુકસાન થઈ જશે, ભવિષ્ય બગડી જશે અને દુર્ગતિની પરંપરા ઊભી થઈ જશે. ડૉક્ટરની દવાઓ ખાવા છતાં આજે ઘણા મરે છે. તેમ છતાં માંદા પડો એટલે ડૉક્ટર પાસે જ દોડો છો ને ? દવા લેવાનું ભૂલતા નથી ને ? ડૉક્ટરની દવા લેતાં પહેલાં ગામને ભેળું કરો છો ? ડૉક્ટર આઠ દિવસ પડી રહેવાનું કહે તો બધાની સંમતિ લેવા જાઓ છો ? સભા: ‘ત્યાં વિશ્વાસ છે.” તો એ રીતે આત્માનો રોગ અમુક દવાથી મટવાની ખાતરી થાય તો બધાને પૂછવા જવાની જરૂર ખરી ? આ સાધુપણું એ આત્માની દવા છે. વિશ્વાસ બેસે કે આનાથી ફાયદો થશે તો કોઈને પૂછવા ન જતા. જેની સમજ ઓછી હોય ને ન રૂચે તે ન સ્વીકારે પણ જેને રૂચે તે તો સ્વીકારે ને ? આજે દીક્ષા લેવી હોય તેણે સંઘ ભેળો કરી પૂછવું જોઈએ એવો ઠરાવ કરવાની વાતો કરનારાને મારે પૂછવું છે કે બીમારે ઔષધ કરાવવા માટે પહેલાં ગામ ભેળું કરી બધાને પૂછવું એવો ઠરાવ કરવો છે ? એવી ફરજ પાડવી છે ? નિશ્ચય અને વ્યવહાર : અહીં એક ભાઈએ ઊભા થઈ વ્યવહાર-નિશ્ચયની વાત કરી જણાવ્યું કે નિશ્ચયવાળાં દવા ન ખાય. વગેરે... વળી આગળ કેટલાક બહારના દોહરા બોલી લાંબુ લેક્ટર ચલાવવા માંડ્યું એટલે પૂજ્યશ્રીએ તેના જવાબમાં જણાવ્યું કે-] ભગવાન શ્રી મહાવીરે કેવળજ્ઞાન થયા પછી પણ દવા ખાધી છે એ જાણો છો ? નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ સમજો છો ? એની ગંધ પણ તમને નથી, એવું તમારા બોલવા ઉપરથી જણાઈ આવે છે. બહારની ઉક્તિઓ લાવી જૈનશાસનના નામે વાત કરવી એ ન ચાલે. જૈનશાસન વ્યવહાર અને નિશ્ચય ઉભયથી ચાલે છે અને ઉભયનું રક્ષક છે. સમજો કે આ લેકચર હૉલ નથી-અહીં સીધા પ્રશ્નો કરવાની છૂટ છે. પણ પ્રશ્ન કરવાની રીત શીખવી જરૂરી છેકહો, નિશ્ચયનયનું સમ્યક્ત કયા ગુણઠાણે ? ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણઠાણાવાળા બધા મુખ્યતયા વ્યવહારનયના આરાધક છે. નિશ્ચયનયનું સાતમે ગુણઠાણે આવે-ચોથે ગુણઠાણે શ્રેણિક મહારાજા જેવા અવિરત
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy