SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 859 — ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 — ૨૮૯ નાના અનેક ઉપસર્ગ સહન કર્યા પણ એના એક ઉપસર્ગથી કેટલાક ગુણા ભાગને સહેવાનું પણ સામર્થ્ય લાવવું ક્યાંથી ? કોઈ કહે કે ‘એવા સહનશીલ ન થાઓ તો સાધુ ન માનીએ' તો કહેવું પડે કે ‘ભાઈ ! અમે તારા સાધુ થવા માગતા નથી.’ અતિમુક્તકના વૈરાગ્યને ભગવાને પોતે ટેકો આપ્યો છે. એ બાળસાધુ બહાર જઈ પાણીના ખાબોચિયામાં કાચલી, નાવડી બનાવી તરાવતા હતા. કાચા પાણીની વિરાધનાની એમને ખબર ન હતી. સ્થવિર સાધુઓને થયું કે આ કેટલો અજ્ઞાન છે. એને આ પાપ કહેવાય એ પણ ખબર નથી. ભગવાને પોતે એને દીક્ષા આપી હતી. સ્થવિરોને ભગવાને કહ્યું કે-‘આવું ન વિચારો, એની આશાતના ન કરો ! હમણાં થોડા વખતમાં જ જાણશો કે એ કોણ છે !' અતિમુક્તકમાં કોઈ જ્ઞાન નહોતું. એક જ ભાવના હતી કે ભગવાન કહે છે કે પાપ ન થાય માટે પાપ ન કરવું. પાપ કોને કહેવાય એ પણ હજી સમજતો નથી. અતિમુક્તક આવ્યો એટલે ભગવાને એને કહ્યું કે ‘અતિમુક્તક, તેં પાપ કર્યું.’ અતિમુક્તક તરત ચોંકયો. ભગવાન પાપ કહે છે માટે પાપ થયું એ નક્કી એમ માની પ્રાયશ્ચિત્ત માગે છે. ભગવાન ઇરિયાવહી પડિક્કમવાનું કહે છે. અતિમુક્તક વિચારે છે કે ‘ભગવાન કહે છે કે ઇરિયાવહીથી પાપ ધોવાય માટે એવી ઇરિયાવહી કરું, એવી ઇરિયાવહી કરું કે પાપ ધોવાઈ જાય. હજી એ ઇરિયાવહીમાં કે એગિદિયા બેઇંદિયામાં કાંઈ સમજતો નથી. ભગવાનના વચન ૫૨ શ્રદ્ધા છેઃ વૈરાગ્યની જડ ત્યાં છે. ઈરિયાવહી પડિક્કમતાં એ અતિમુક્તકને કેવળજ્ઞાન થયું.. એ આવ્યો એવું ભગવાને કહ્યું હોત કે-‘તારામાં જ્ઞાન નથી માટે પહેલા ગણધર જેટલું જ્ઞાન મેળવીને આવ !' તો એની હાલત શી થાય ? ગણધર ભગવંતો પહેલાં - મિથ્યાદષ્ટિ હતા. ભગવાન પાસે આવી ત્રિપદી પામી અંતર્મુહૂર્તમાં આખી દ્વાદશંગી રચે, એટલું જ્ઞાન બીજા લાવે ક્યાંથી ? વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરો છોકરાંને નિશાળે ભણ્યા પહેલાં મોકલાય કે ભણ્યા પછી ? બાપા કહે કે નિશાળે જઈશ તો ગાદીતકિયે બેસવા મળશે, ત્યારે દીકરો ભણવા તૈયાર થાય. તમને નાનપણથી માબાપે નિશાળે મોકલ્યા તો તમે આવા બન્યા. નાનપણમાં માબાપે પાળીપોષી મોટા કર્યા તો આજે પાઘડી દુપટ્ટો પહેરીને ફરનારા શેઠીઆ બન્યા. એ જ રીતે શરૂઆતના વિરાગીને પોષાય, એને ઉત્તેજન અપાય તો જ એ આગળ વધે ને ? ધર્મી તરીકે વૈરાગ્યને પોષવાની તમારી ફરજ છે.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy