SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 849 – ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૭૯ શરૂઆતનો વૈરાગ્ય આવેશવાળો જ હોય-તદ્દન અભણ માણસ પણ સારામાં સારો વિદ્વાન થઈ શકે છે ને ? શિક્ષકે લખી આપેલો એકડો બાળક કદી સીધો ઘૂંટી શકે છે ? ઇચ્છા હોય તોયે સીધો ઘૂંટી શકતો નથી. તેનો હાથ વાંકોચૂંકો થયા વિના રહે જ નહિ. પણ બાળક સીધો-ખામી વિનાનો એકડો ઘૂટે પછી જ નિશાળે આવે એવો કાયદો થાય ? ન્યાયાઃ “પાટીમાં ઘાટ કોતરાય છે. એમાં જ ઘૂંટે તો ?' તોયે શરૂઆતમાં બહાર લીટા જાય કે નહિ ? ન્યાયા: ‘એમ તો જાય.” એ જાય તો પણ બાળકના અભ્યાસને અવગણાતો નથી. એ જ રીતે જીવ ભલે એકવાર સારી ચીજ આવેશથી પામે પણ પછી તે જીવ સાચી રીતે પામી શકવાનો પૂરો સંભવ છે. આવેશ વિના શરૂઆતમાં તદ્દન ચોખ્ખો વૈરાગ્ય થાય એ વસ્તુ દરેક જીવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ એ બનવાનું નથી. દર્દીને અમુક માંદગીમાં વૈદ્ય-ડૉક્ટરો રુચિ વિના પણ ખવડાવે છે. ન ખવડાવે તો એ ઊઠી ના શકે, મગના પાણી પર રાખેલા દર્દીને એકદમ ખાતો ન કરાય પણ ધીરે ધીરે ખાતો કરી મૂળ ખોરાક પર લાવવામાં આવે છે ને ? અનાદિકાળથી રાગથી રંગાયેલા આત્મા માટે એ જ રીતે ઉપાયો કરવા પડે તો એમાં કાંઈ વાંધો છે ? એ કર્યા સિવાય છૂટકો જ નહિ. દુનિયાદારીથી રંગાયેલા આત્માને પ્રાથમિક ભૂમિકામાં સાચો વૈરાગ્ય જાગ્રત કરવો એ સહેલું નથી. પૂર્વસંસ્કારથી કે શાસ્ત્રશ્રવણના યોગે સંસાર અસાર અને ત્યાગમાર્ગ સારો લાગે એ વૈશાય-સમ્યગ્દષ્ટિ જીવ સંસારમાં રહે તોયે પ્રભુમાર્ગને ધ્યાનમાં રાખીને રહે પણ સંસારમાં રમે તો નહિ જ. આજના જીવોની વાત જુદી છે. આજે તો સંસારની અસારતા જોરશોરથી સમજાવવી પડે તેમ છે. એ સમજાય તો જ ત્યાગ પ્રાપ્તિની ભાવના જાગે અને ત્યાગ સન્મુખ દૃષ્ટિ રહે. તેમ છતાં ત્યાગ ન લઈ શકે તેને દુનિયાદારીની કાર્યવાહીમાં રહ્યા છતાં નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરવાનું શાસ્ત્ર કહ્યું. આગળ વધીને કહ્યું કે તમે જ્યારે એકદમ વૈરાગ્ય નથી પામી શકતા તો જેઓ એકદમ વૈરાગ્ય પામી ત્યાગી થવા નીકળે તેમની વચ્ચે આવવાનો અધિકાર તમને નથી. ન્યાયા): ‘અતિ તીવ્ર વૈરાગ્ય હોય તો વાત જુદી, તો તો રજાની જરૂર નહીં પણ એવો તીવ્ર વૈરાગ્ય ન હોય તો વચ્ચે ન અવાય ?' સંસારનો ત્યાગ કરનારની થોડી પણ મનોવૃત્તિ પોતાના કુટુંબ તરફ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy