________________
૭૧૩ – ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૭૩ પડેલા હીરાને જોઈ હાથ લાંબો કર્યા વગર રહે? આ પ્રસંગે બે જણ હાથ લાંબો ન કરે. કાં તો ત્યાગી ન કરે; કાં તો મૂર્ખ ન કરે. પણ જે ડાહ્યો છે અને ત્યાગી નથી તે હીરા દેખી હાથ લાંબો કર્યા વિના રહે ? તેવી રીતે વિષયનો વિરાગી, કષાયનો ત્યાગી અને ગુણનો અનુરાગી એને લગતી પ્રવૃત્તિ છતી શક્તિએ, છતા સંયોગે ન કરે એ બને ? એને ક્રિયામાં બાધક કાંઈ છે જ નહિ, પછી કેમ ન કરે ? જેનાં દૃષ્ટાંત લ્યો તેના સંપૂર્ણ ભાવને, હેતુને, પરિણામને વિચારો કે એમણે કઈ ક્રિયા કઈ વખતે કરી, એનો હેતુ શો, એનું પરિણામ શું, ઉપાદાન શું, વગેરે બધું વિચારો !
સમ્યગ્દર્શન સાધુમાં જ હોય અને સંસારીમાં ન હોય એમ કાંઈ શાસ્ત્રકાર નથી કહેતા પણ એ ખાતરી તો જરૂર માગે છે કે એ આત્મા મવથી નરમ ા સંસારસાગરમાં ન રમે. સંસારસાગરમાં એ આત્માની રમણતા ન જ હોય. સંસારમાં રમણતા હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય એમ જ્ઞાની કહે છે. તમારા માટે “નથી' એમ એકદમ હું કહેતો નથી. ગભરાઓ નહિ ! પણ જ્ઞાની એ વાત સ્પષ્ટ કરે છે કે મોહના યોગે કદી સંસારમાં રમણતા થઈ પણ જાય પરંતુ જાગૃત થાય કે તરત ‘ભૂલ્યો' એમ આત્માને જરૂર થાય. આ એક છેલ્લો બચાવ છે. પણ “ભૂલ્યો” એમ મરતાં સુધી કહ્યા કરે એ ન ચાલે. એ તો એક જાતની ભયંકર કુટેવ કહેવાય. ધર્મ માટે સંસારનો ભોગ કે સંસાર માટે ધર્મનો ભોગ ?
આજે સંસાર એટલો તો પ્રિય થઈ પડ્યો છે કે ધર્મ માટે સંસારનો ભોગ દેવાતો નથી જ્યારે સંસાર માટે ધર્મનો ભોગ દેવાનાં દૃષ્ટાંત તો આ પંચમકાળમાં પાર વિનાનાં છે. જેટલા આદમી એટલાં દૃષ્ટાંત. અરે માનવીના જીવનની જેટલી પળો એટલાં દૃષ્ટાંત છે. પણ ધર્મ માટે સંસારનો ભોગ આપ્યાનાં દૃષ્ટાંત શોધવાં હોય તો મીશીબતનો પાર ન રહે. લાવવાં ક્યાંથી ? જો કે આજે પૈસા માટે, ખાવાપીવા માટે, ઇંદ્રિયોના આનંદના ઉપભોગ માટે ત્યાગ થાય છે. પણ આત્મકલ્યાણ માટે ત્યાગ કરવો કઠિન પડે છે. એ દૃષ્ટિએ તો અમારા કરતાં તમને વધારે ત્યાગી કહેવા પડે. ખરેખર તમારા જેટલી ચિંતાનો બોજ અમારાથી તો સહન ન થાય.
સભા: “બીજી રીતે ત્યાગથી કંઈ લાભ નહિ ?' - લાભ તો નહિ પણ ઊલટી હાનિ છે. તમે જે તકલીફ સહન કરો છો, માનાપમાન સહો છો, તે માટે ખરેખર