SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ - ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય :- 60 – ૨૭૯ પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની : સભામાં બહારગામના એક જૈનેતર ન્યાયાધીશ આવેલા હતા. તેમણે અહીં કેટલાક પ્રશ્નો કર્યા હતા. આખા વ્યાખ્યાનમાં મોટા ભાગે તેમના ઘણા સુંદર પ્રશ્નો થયા જેના પૂજ્યશ્રીએ અત્યંત સંતોષકારક ખુલાસા કર્યા હતા એ પ્રશ્નોથી જૈન જનતાને પણ ઘણું જાણવાનું મળ્યું હતું-ન્યાયાધીશ જૈનેતર ગૃહસ્થ હોઈ એમના પ્રશ્નો ચાર આશ્રમોને અનુલક્ષીને હતા. એ ચારે આશ્રમોની યોજના, સંકલના, હેતુઓ વગેરે પૂજ્યશ્રીએ બહુ સુંદર રીતે સમજાવ્યા હતા. તેમાં જૈનદર્શનના પારિભાષિક શબ્દોની વાત સામાન્ય ભાષામાં જૈનેતર પણ સમજી શકે એ રીતે સમજાવી હતી. ન્યાયાઃ “ગૃહસ્થાશ્રમમાં ઉત્તમ ધ્યેયને અનુલક્ષીને રહી શકે ?” - રહેવું પડે તો રહે પણ રહેવું જોઈએ એમ નહિ. ત્યાં રહેવા છતાં રહેવામાં હરકત નથી એમ એ માને ? ન્યાયાઃ “એમ તો ન જ મનાય.” -“પાપથી ક્યારે છૂટું” એ ભાવના સમ્યગ્દષ્ટિની સદા જાગૃત હોય. ન્યાયાઃ “રહેવું પડે તો રહી શકે !' રહેવું પડે તો રહે શકે પણ રહેવું જોઈએ એમ માનીને નહિ. રહેવું જોઈએ એ ભાવના આવી તો મૂળ વસ્તુ ઊડી ગઈ. પૂર્વસંચિતના યોગે, તીવ્રકર્મના યોગે સંસાર છોડી ન શકે, સંસારથી છૂટે એવા સંયોગો ન હોય તો સંસાર છોડવાની ભાવના મજબૂતપણે રાખીને સંસારમાં રહ્યો હોય તો માત્ર એટલા ઉપરથી એને સંસારનો પિપાસુ કહેવાનો કોઈને અધિકાર નથી. સંસારમાં રહ્યો માટે સંસારનો પિપાસુ એમ ન કહેવાય. શાસ્ત્ર ત્રણ વસ્તુ માની છે. સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્રસમ્મચારિત્ર એ છેલ્લી કોટિની અને ઊંચી વસ્તુ છે. જે સમ્યફચારિત્ર પામે તેનામાં પહેલી બે હોય જ. સમ્યગ્દર્શન પામે તેનામાં સમ્યકુચારિત્ર ક્રિયારૂપ છે, અમલરૂપ છે. ત્યાગ કર્યો એ બાહ્ય વસ્તુ છે અને ત્યાગની ભાવના એ આંતેર વસ્તુ છે. ભાવના હોય અને વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ બને. સમ્યગ્દર્શન છતાં સમ્યકૂચારિત્ર લઈ શકાતું નથી એટલે વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ સંભવિત છે. જેમ શ્રેણિક મહારાજા જિંદગી પર્યંત ચારિત્ર ન લઈ શક્યા, પણ એમનું સમ્યગ્દર્શન કેવું? મેલું કે ચોખ્ખું ? અનંત જ્ઞાનીએ એમના સમ્યક્ત્વને ક્ષાયિક કહ્યું, જરા પણ મળ વગરનું જણાવ્યું. સંસાર ખોટો છે એવી એમની સ્પષ્ટ માન્યતા હતી. “ક્યારે છૂટું એવી પૂરી
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy