________________
૨૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સાધુઓના દોષ ગાનારાઓની આ પ્રમાણિકતા કેવી ?
હજારોની સમક્ષ એક પણ પુરાવા વિના સાધુઓના દોષ ગવાય ? ‘અમુક સાધુ આવા !' એમ કહેવાય ? મા, બાપ, ભાઈ, બહેન કે દીકરા-દીકરીમાં દોષ હોય તો બહાર બોલો છો ? ત્યાં સ્વતંત્રતા નહિ ? પોતે કેવો ? પોતાની સાચી વાત કોઈને કહે ? અરે કોઈ જો એને માટે બોલે તો ધમાધમ કરી મૂકે, ‘બદનક્ષીનો કેસ માંડું' એમ કહે. પોતે તદ્દન શુદ્ધ હોવાનો દાવો રાખે. કોઈ એની નબળી વાત કરે તો કહી દે કે ‘એ તો ઈર્ષ્યાળુ છે.' જાતના છતા દોષને છુપાવવા આટલું કરનારા સાધુસંસ્થાના અછતા દોષો ગાવા કેમ બેસી જાય છે ? સાધુસંસ્થાને સડેલી કહે ત્યાં તાલી પાડનારા બેવકૂફ છે. દેવાળું કાઢે એ દેવાળીઓ કહેવાય પણ કોઈ દેવાળીઓ બજારમાં હોય માટે આખા બજારને એવું કહેવાય ? જાહે૨માં બોલે કે ‘સાધુસંસ્થા સડી ગઈ છે.' પણ એને ભાન નથી કે એ કોની સમક્ષ બોલે છે. સામે તો પારકા લોકો બેઠા છે. એ ગમે તેમ લખશે, એ કોણ વાંચશે ? વિચા૨ બહાર કોના મુકાય ? કઈ રીતે મુકાય ? એ બરાબર સમજો. દઢતાના અર્થીથી મિથ્યામતિની પ્રશંસા ન કરાય. ગુણાનુરાગના નામે આજે દુર્ગુણીઓ ફાવે છે. જેનો પાયો પોલો એ મહેલમાં રહેનારા મરવા જ સરજાયા છે ને ?
832
કિંપાકફળના ગુણોનો ગુણાનુવાદ થાય ?
મિથ્યામતિની પ્રશંસાના યોગે શ્રી જૈનશાસનનું સર્વસ્વ લુંટાયું છે ઃ
કહે છે કે ‘અમે તો ગુણાનુરાગી ! કૃષ્ણ મહારાજાએ પણ કૂતરાના દાંત વખાણ્યા હતા ને ?' કૃષ્ણ મહારાજાએ શું કહ્યું હતું ? કૂતરું ભયંકર સડેલું અને ગંધાતું છે પણ તેના દાંત સારા-દાડમની કળી જેવા છે.’ ત્યાં પહેલું વાક્ય કેમ નથી ધ્યાનમાં લેતા ? જેમાં કૂતરાની વાસ્તવિક પરિસ્થિતિ જણાવી પછી જ દાંત વખાણ્યા છે. વેશ્યાને રૂપાળી કહેવી હોય તો સાથે કહેવું પડે કે રૂપાળી તો છે પણ અગ્નિની જ્વાળા જેવી છે. અનેકને ફસાવનારી છે. પૈસા ખાતર જાતને વેચનારી છે અને નક્કી કરેલા પૈસા ન આપે તેના પ્રાણ લેનારી છે. આમ પૂરી વાત ન કરે અને કેવળ રૂપનાં વખાણ કરે એ કેમ ચાલે ? એનાથી તો અનેક લોકો ફસાય એની જોખમદારી કોની ? હોશિયાર માણસ પણ ઉઠાવગીર હોય તો કેવળ તેની હોશિયારીનાં વખાણ થાય ? કે સાથે કહેવું પડે કે સાવચેત રહેજો ! મુરતિયાનાં વખાણ કરે પણ રતાંધળો હોય છેં વાત છુપાવે, કન્યાપક્ષ કન્યાનાં વખાણ કરે પણ તેની ખોડખાંપણ છુપાવે તો તેધી કેંકના સંસાર નષ્ટ
ન