________________
815 – ૧૮ઃ જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 –- ૨૪૫ ન વિચાર્યું. આજે ધર્મ ઉપર ગમે તેવાં આક્રમણો આવે ત્યારે પણ “હશે ત્યારે” એમ કહેનારા ઘણા છે. એ પાછા આડતિયા સાથે હિસાબ કરવા બેસે ત્યારે “હશે ત્યારે એવું નથી બોલતા. કિંમત શાની લાગે છે તે આથી પરખાઈ આવે છે.
જમાનો ભયંકર છે. પણ ભયંકર જમાનામાં ધર્મ સાધે-સાચવે તે ધર્મી, ફુરસદે કે અનુકૂળતાએ જ ધર્મ કરે અને એમાં ડહાપણ માને એની કિંમત શી ? મોસમમાં પણ પૂજા ન ચૂકે એ ધર્મી. ભરયૌવને વ્રત પાળે તે ધર્મી. ઘરડો થાય, ખાવાનું ન ભાવે ત્યારે કહે કે હવે ખવાય તેમ નથી માટે દેખાવ માટે પચ્ચખ્ખાણ કરે એથી શું ? આજે તો કહે છે કે-“ધર્મ ખરો પણ અત્યારે હોય ?” અત્યારે ન હોય તો ક્યારે હોય ? મરણ આવી લાગે ત્યારે જે ધર્મ કરે તે દેખાવનો હોય તો ? વળી તેઓ કહે છે કે-ધર્મ ખરો પણ સંસારને ખરાબ ન કહો. મોક્ષની વાત કરો પણ ઓઘો બતાવ્યા ન કરો. અમે વિધવાને પરણીએ તેમાં તમને શું થાય છે ? વિધવાવિવાહ ન હોય તો વાંઢા ક્યાં જાય ?' હીણકર્મી વાંઢા પણ રહે, પણ તેથી વિધવાનાં શીલ ભંગાવાય ? આવું બોલતાં એમને લજ્જા પણ ન આવે ? અને એવાની સાથે બેસવાનું હજી તમને મન છે ? જો હોય તો તમારા માટે પણ શું સમજવું ? ધર્માત્મા પાસે સીતાજી જેવું હૈયું જોઈએ?
રાવણ જેવો પણ સીતાજી સામે જોઈ શકતો ન હતો એવો એ સતીનો તાપ હતો. શયામાં તરફડિયાં મારતાં પાપનો પસ્તાવો કરતો. વિચારતો કે-“એ સતી છે, હું પામર છું.” આ બધું શાથી ? સામે મહાસતી હતી માટે ને ? એ ન હોત તો ? “જંગ થાય છે, કારમી કતલ થાય છે, હું અહિંસાપ્રેમી છું, અને હિંસા ન થાય માટે સમ્ય ઓળખી રાવણની માગણી સ્વીકારી લઉં છું.” આવું સીતાજીએ રામને કહેવરાવ્યું ? ન કહેવરાવ્યું. એ સતી તમારા જેટલાં ઉદાર નહિ. તમે તો એવા ઉદાર કે વાતવાતમાં “હશે હવે” એમ કહીને બંધ વાળો. આજનો ધર્મ વર્ગ, વગર કજિયાએ વગર તોફાને, સભ્યતાની રૂએ, વર્તમાન કાયદાનો સદુપયોગ કરે અને એ માર્ગે ચાર કદમ ભરે તો પણ ઘણો સુધારો થાય. સામા પણ સુધરે. ધર્મીને અધર્મી સાથે મેળ ન હોય? - ઓગણીસ દિવસ સુધી ભયંકર ઉદ્યાનમાં અન્નપાણી વિના સતાજી એકલાં રહ્યા. ભયંકર ભૂતાવળવાળું સ્થાન, ત્રાસ ઉપજાવે તેવું વાતાવરણ, સ્ત્રી જાતિ, પણ નવકાર ગણતાં અને યક્ માવિ તલ્ ભવતિ એમ માનીને રહ્યાં. આજનો જમાનો કાંઈ આટલો ભયંકર નથી. ધર્મની સાધના માટે આજનો જમાનો તો