________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ધર્મની કિંમત હોય તેની પાસે જમાનો પામર છે ઃ
સભા : ‘જમાનો જોવો જોઈએ ને ?'
૨૪૪
814
જમાનો જોવાનો, પણ શા માટે જોવાનો ? ધર્મ ટકાવવા કે ધર્મ ગુમાવવા ? શાસ્ત્ર તો કહે છે કે જે જમાનામાં ધર્મ ન આચરી શકાય, તે જમાનામાં જીવીને પણ શું કરવાનું ?
સીતાજીને રાવણ ઉપાડી ગયો. લંકામાં કોઈ તેમનું બેલી ન હતું. ઉદ્યાન, દાસ, દાસી બધું રાવણનું હતું. બોલો... સીતાજી માટે એ જમાનો કેવો ? રાવણનું માન્યું હોત તો તમે આજે એમને યાદ કરત ? શીલ પાળવા માટે અનુકૂળ સામગ્રી હતી ? જેવો ઘેરો આજે આપણી ચારેય બાજુ છે, તેનાથી કેટલાય ગુણો મોટો ઘેરો એમની ચારેય ત૨ફ હતો ને ? જીંગ જાગ્યો એ હા, પણ એમણે રાવણ પાસે નમતું ન જોખ્યું. પોતાના સમાન સ્ત્રી જાતની રાવણની પટ્ટરાણી સતી મંદોદરી એમને કહે છે કે-‘દેવી ! માની જાઓ ! તમે પુણ્યશાળી છો કે આ ત્રણ ખંડનો માલિક તમારા ઉપર રીઝયો છે. આપ એની વાત માનો તો અમે સોળે હજાર આપની દાસીની માફક રહેશું. આવો માલિક મળે છતાં ભટકતા ભૂચરની પાછળ કાં પડ્યા રહો છો ?’
અહીં સીતાજી એકલાં હતાં. ઓગણીસ-ઓગણીસ દિવસથી ભયંકર ઉદ્યાનમાં અન્નપાણી વિના ભૂખ્યાં રહ્યાં હતાં. ત્રાસ વર્તવામાં કાંઈ બાકી ન હતું. નોકર, ચાકર અને જાનવરો પણ રાવણનાં હતાં. આવે વખતે મંદોદરી જ્યારે આમ કહે છે, ત્યારે સીતાજી એને શું સંભળાવે છે ? એ કહે છે કે-“ઊઠ ! ઊઠ ! પાપિણી ! તું અહીંથી ચાલી જા ! હવે હું સમજી કે રાવણને તું યોગ્ય જ મળી છે. કાગડાના કંઠે હંસલી હોય જ નહિ. જેવો એ એવી જ તું છે. ખરેખરી કુભાર્યા મળી છો. અહીંથી જલદી ઊઠી જા, જેથી મારા તારે જેવી પાપિણીનું મોઢું જોવું ન પડે.”
આ સાંભળી મંદોદરી સ્તબ્ધ થઈ ગઈ. એને લજ્જા આવી ગઈ. આવી સ્થિતિમાં જરા પણ મુંઝાયા વિના સિતાજી એને આગળ કહે છે કે-‘સાંભળ ! રામ જે છે, તે છે. મારે તારી ત્રણ ખંડની સાહ્યબી નહિ જોઈએ. સાહ્યબીની હું ગુલામ નથી. મારા શીલ પાસે એ સાહ્યબીને હું ઠોકરે મારું છં.” સીતાજીના આવા અનુપમ સત્ત્વના કા૨ણે આજે એને દુનિયા હાથ જોડે છે. આ સંયોગોમાં રાવણની પટ્ટરાણી પાસે આવા શબ્દો બોલવા એ નાનીસૂની વાત નથી. એમને પ્રાણની પરવા ન હતી પણ શીલની પરવા હતી. શીલ ગુમાવવાનો વખત આવે તો તે પહેલાં પ્રાણત્યાગનો નિર્ણય અને સામર્થ્ય હતું. ‘હશે ત્યારે' એમ એમણે