________________
૨૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
812
સભા ‘મૂર્ખ કહેવાય.’
તેમ પોતાને સમ્યગ્દષ્ટિ કહેવરાવે તે સંસારમાં ૨મે તો તે કેવો કંહેવાય ? માટે સમજો કે સમ્યગ્દષ્ટિ સંસારમાં ૨મે જ નહિ-એ વાતો શાની કરે ? નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
બે પંડિત ભેગા થાય તો તત્ત્વની વાત કરે અને બે ગધ્ધા ભેગા થાય તો લાતાલાત કરે. અને ગધેડા પાસે સજ્જન જાય તો ? એને પણ લાત ખાવી પડે. ડાહ્યો માણસ ભૂલથી ઘોડો સમજી ગધેડા પાસે જઈ ચડે પણ જેવી ખબર પડે તેવો જ તેનાથી દૂર ભાગે. એ રીતે માણસ પણ શબ્દાડંબરથી કદી ન ઓળખાય ને સંપર્કમાં આવી જવાય, પણ જેવો ઓળખાય કે તરત તેનો સંબંધ કાપી નાખે. નહિ તો પેલાની જેમ લાતો ખાવાનો વારો આવે. સમ્યગ્દષ્ટિ સંમ્યગ્દષ્ટિ સાથે જ અંતરનો મેળ જામે, અન્યની સાથે કેમ જામે ?
જ
અહીં તો જે સાચું હશે તે જ કહેવાશેઃ
શ્રી સંઘ સર્વ પ્રકારે પૂજ્ય ખરો પણ ત્યાં સંઘત્વ જોઈએ. સંઘત્વ ન હોય તો કેમ નભે ? દૃઢ પીઠમાં રૂઢતા લાવવા માટે જોઈતા વિચારોમાં તન્મય બનવું જોઈશે. એને અનુસરતી ભાવના જોઈશે. આ તો કહે છે કે-‘અમારા સંસારને વગોવવાનો મુનિઓને હક્ક શો ?' હું કહું છું કે તમારા સંસારને વગોવવાનો, તમને સંસા૨થી છોડાવવાનો, પાઘડીવાળાને ઉઘાડા માથાવાળા બનાવવાનો ભગવાને અમને હક્ક આપ્યો છે. એ હક્ક જેને સ્વીકાર્ય ન હોય તેઓ અહીંથી ઊઠી જઈ શકે છે. આપણે તો ખુલ્લેખુલ્લી વાત કરવી છે. એમ ને એમ કોઈને ગળે કાંઈ વળગાડવા માગતા નથી. ઘણા કહે છે કે-મહારાજ બધાને ઓછા વળગાડી દે છે. પણ એમ કોઈને વળગાડાય નહીં. વળગાડવાની એ ચીજ નથી. દીક્ષા લેવા આવનાર પણ હાથ જોડીને માગણી કરે કે
" इच्छकारी भगवन् पसाय करी मम मुंडावेह, मम पव्वावेह, मम वेसं સમચ્છેદ ।"
ત્યારે જ અમે ઓઘો આપીએ છીએ.
દીક્ષા લેવા તરફ તમારી મનોવૃત્તિ કેળવવાનો અમને હક્ક છે. અને એ માટે તમારા સંસારની વાસ્તવિક ખરાબી પ્રગટ કરવાનો પણ અમને હક્ક છે. તમારું હિત કરવું છે માટે તમારી ખામીઓ જ બતાવવાની અને તમારા ગુણ મનમાં રાખવાના. સાધુ કાંઈ તમને રાજી રાખનારા ભાટચારણ નથી. ખામીઓ સાંભળવાની શક્તિ હોય તેમણે જ અહીં આવવું. ખોટા કામની પાછળ ભલે