________________
૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૨, સોમવાર, તા. ૧૦-૨-૧૯૩૦
♦ પીઠ ઉપર મોટો આધાર છે :
♦ સમ્યગ્દષ્ટિના વિચારો કેવા હોય ?
♦ એ કુતર્કોની જાળને ભેઘે જ છૂટકો :
♦ સંઘ, સંસારમાં હોવા છતાં સંસારને કેવો માને ?
♦ અહીં તો જે સાચું હશે તે જ કહેવાશે :
જેને ધર્મની કિંમત હોય તેની પાસે જમાનો પામર છે ઃ
ધર્માત્મા પાસે સીતાજી જેવું હૈયું જોઈએં :
ધર્મીને અધર્મી સાથે મેળ ન હોય :
તમારી બહાદુરીની અમને ઈર્ષ્યા થાય છે ઃ બાળકના જેટલું પણ સ્વમાન છે
?
♦ ધર્મ ક૨વો હોય તેણે ભોગ તો આપવો જ પડશે ?
58
પીઠ ઉપર મોટો આધાર છે :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘને મેરૂ સાથે સરખાવી સ્તવના ક૨તાં ફરમાવે છે કે જેમ મેરૂની પીઠ વજ્રરત્નમય અને દૃઢ, ગાઢ, અવગાઢ છે તેવી જ રીતે શ્રી સંધરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી હોઈએ. સમ્યગ્દર્શનરૂપ પીઠને દઢ બનાવવા શંક઼ાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ. પાંચ દોષોનો પરિત્યાગ ન થાય ત્યાં સુધી એમાં દૃઢતા ન આવે. દૃઢ બન્યા પછી એ પીઠને રૂઢ બનાવવા માટે શું કરવું જોઈએ, એ વિચાર ચાલે છે. પીઠ દૃઢ બન્યા પછી રૂઢ બનાવવા પ્રયત્ન ન થાય તો એને પણ ભેદાતાં વાર ન લાગે.
મેરૂની સાથે શ્રી સંઘની સરખામણી ચાલે છે. મેરૂ એ અનાદિ અનંત અને લાખ યોજન પ્રમાણની શાશ્વતી વસ્તુ છે. એમાં કોઈ કાળે પરિવર્તન થાય તેમ નથી. વસ્તુ જેટલી મહત્ત્વની તેટલી જ એમાં દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દઢતા વગેરે એટલી જ જરૂરી છે. આજે કેવળ સંઘની