SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૨, સોમવાર, તા. ૧૦-૨-૧૯૩૦ ♦ પીઠ ઉપર મોટો આધાર છે : ♦ સમ્યગ્દષ્ટિના વિચારો કેવા હોય ? ♦ એ કુતર્કોની જાળને ભેઘે જ છૂટકો : ♦ સંઘ, સંસારમાં હોવા છતાં સંસારને કેવો માને ? ♦ અહીં તો જે સાચું હશે તે જ કહેવાશે : જેને ધર્મની કિંમત હોય તેની પાસે જમાનો પામર છે ઃ ધર્માત્મા પાસે સીતાજી જેવું હૈયું જોઈએં : ધર્મીને અધર્મી સાથે મેળ ન હોય : તમારી બહાદુરીની અમને ઈર્ષ્યા થાય છે ઃ બાળકના જેટલું પણ સ્વમાન છે ? ♦ ધર્મ ક૨વો હોય તેણે ભોગ તો આપવો જ પડશે ? 58 પીઠ ઉપર મોટો આધાર છે : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘને મેરૂ સાથે સરખાવી સ્તવના ક૨તાં ફરમાવે છે કે જેમ મેરૂની પીઠ વજ્રરત્નમય અને દૃઢ, ગાઢ, અવગાઢ છે તેવી જ રીતે શ્રી સંધરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી હોઈએ. સમ્યગ્દર્શનરૂપ પીઠને દઢ બનાવવા શંક઼ાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ. પાંચ દોષોનો પરિત્યાગ ન થાય ત્યાં સુધી એમાં દૃઢતા ન આવે. દૃઢ બન્યા પછી એ પીઠને રૂઢ બનાવવા માટે શું કરવું જોઈએ, એ વિચાર ચાલે છે. પીઠ દૃઢ બન્યા પછી રૂઢ બનાવવા પ્રયત્ન ન થાય તો એને પણ ભેદાતાં વાર ન લાગે. મેરૂની સાથે શ્રી સંઘની સરખામણી ચાલે છે. મેરૂ એ અનાદિ અનંત અને લાખ યોજન પ્રમાણની શાશ્વતી વસ્તુ છે. એમાં કોઈ કાળે પરિવર્તન થાય તેમ નથી. વસ્તુ જેટલી મહત્ત્વની તેટલી જ એમાં દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દઢતા વગેરે એટલી જ જરૂરી છે. આજે કેવળ સંઘની
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy