________________
801 – ૧૭ સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ - 57 – ૨૩૧ પરસ્પરના હિતની ચિંતા હોવી જોઈએ ને ? એ આજે ક્યાં છે ? એ આવી જાય તો ધાર્યું કામ થાય.
પાછળ રોકકળ થાય છે માટે દીક્ષા વગેરે ધર્મક્રિયા નથી ગમતી’ એમ કહે છે એ વાત ખોટી છે. ખરી વાત એ છે કે એમને વાસ્તવમાં દીક્ષા વગેરે ધર્મક્રિયા જ નથી ગમતી.
સભાઃ “સમ્યગ્દર્શનની ભાવના આવે તો ને ?'
એ માટે તો આ મહેનત છે. આ ભાવના કોઈને કદાચિત્ આવે માટે જ આટલું કહેવાય છે. આ ભાવના આવે ક્વચિત્, આવે કોઈને, આવ્યા પછી ચાલી પણ જાય અને એવી જાય કે ગયા પછી પત્તો પણ ન લાગે. માટે જ એને માટે આટલી બધી મહેનત કરવી પડે છે. જે ક્રિયા પાછળ કોઈ પણ માણસ ખાનગી કે જાહેરમાં રુએ તે કરવી જ નહિ. આવો નિયમ એટલે વગર દીક્ષાએ દીક્ષા. તમારી ક્રિયા પાછળ તો રોજ દુ:ખ અને ક્લેશ રહેલાં જ છે. જિંદગી સુધી ચોવીસે કલાક બીજાને રોવડાવવાની ક્રિયા કરનારાઓ, દીક્ષા લેનાર પાછળ ચાર જણા ચાર દી માટે રૂએ તે પ્રત્યેની દયાની વાત કરે છે, એ વાજબી છે કે બનાવટી ?
સભાઃ “અજ્ઞાની આ સમજતા નથી.”
અજ્ઞાની તો જ્યાં ત્યાં હા જી ભણે. બધા જ જ્ઞાની હોત તો તકલીફ જ ક્યાં હતી ? અહીં આવનારાને એટલા માટે સમજાવું છું કે-જેથી અહીં બોલે તેવું જ બહાર બોલે. તમે અહીં જ વાંકું બોલો તો બહારની શી વાત ? અહીં જ એમ કહો કે-આ તે કઈ સદીની વાત ?” તો પછી બહાર શું કહો ?
જે સદીમાં સુખ જોઈએ તે સદીની આ વાત છે. આ સદીમાં સુખ જોઈએ તો આ જ વાત કરવી પડશે. જે સદીમાં સુખ ન જોઈએ તે સદીના જીવો માટે આ વાત છે પણ નહિ. સુખ તો દરેક સદીમાં સૌને જોઈએ છે. જે સદીમાં આ વાત નહીં હોય તે સદીના જીવો રિબાઈ રિબાઈને મરવાના છે. ધર્મનો પ્રભાવ : - પંચમ કાળ તો હજી સારો છે કે થોડા પણ જીવો સુખપૂર્વક જીવી શકે છે, તે આ ધર્મના પ્રભાવે. છઠ્ઠા આરામાં તો આકાશમાંથી અગ્નિ વરસશે, મેઘ નહિ વરસે. ભૂમિ લોઢા જેવી તપશે અને ક્ષારમય બની જશે. આજે જે નિયમિત વૃષ્ટિ થાય છે, સૂર્ય-ચન્દ્ર નિયમિત પ્રકાશ આપે છે, એ ધર્મનો પ્રભાવ છે. જે દી ધર્મ ગયો ત્યારે સૂર્ય એવો તપશે કે જમીન પર પગ નહિ મુકાય. વરસાદ પાણીનો