SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 79૭ - ૧૭ઃ સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે. તે સંઘ ઃ - 57 – ૨૨૯ જે પ્રવૃત્તિ પાછળ કોઈ રૂવે તે ન કરવાનું નક્કી કરો ! કહે છે કે દીક્ષા લેનારની પાછળ રોકકળ થાય છે માટે દીક્ષા ન લેવી. હું પૂછું છું કે સંયમ લેનારની પાછળ પાંચ-પચીસ થોડા દિવસ રૂએ, પણ તમારી પાછળ રોજ કેટલા રૂએ છે ? ઘરમાં જાઓ ને ફાવટ ન આવી તો રોવાનું ચાલુ. આજે તમે પાંચસો કમાયા પણ સામાએ ખોયા, તો એ રૂએ કે હસે ? “પાછળ કોઈ રૂએ એવી ક્રિયા કરવી જ નહિ” એવો નિયમ કરો તો બહુ સારી વાત ખાનગી કે જાહેરમાં, પહેલાં કે પાછળથી, જે ક્રિયા પાછળ કોઈને રોવું પડે એવી ક્રિયા ન કરવાની તમે પ્રતિજ્ઞા કરો તો હું પણ એવી દીક્ષા ન આપવાનો નિયમ કરું. પાછળ રોનારાની દયા ખાવી તો મને પણ ગમે છે. મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે પાછળ કોઈ રૂએ એવી ક્રિયા ન કરવાનો નિયમ કરો તો દીક્ષામાં બાકી શું રહ્યું ? સ વ તીક્ષા - તે જ દીક્ષા. સાધુ જીવે ત્યાં સુધી “ધર્મલાભે કહે-એ મરે એટલે પાછળ “જય જય નિંદા' કહેવાય, તમે જીવો ત્યાં સુધી રોજ કેંકને રોવરાવો અને તમારી પાછળ પણ શું ? ફજેતીના ફાળકા. આ બાજુ સ્ત્રી રૂએ, બીજી બાજુ કુટુંબીઓ રૂએ, સૌ પોતાના સ્વાર્થને રૂએ અને બોલે કે બધું કર્યું પણ અમારું કાંઈ ન કર્યું. કોર્ટે જો કાયદો કે વ્યવસ્થા રાખી હોત કે મરનારની પાછળ પણ ફરિયાદ ચાલે તો કોર્ટને એવી પંચાત થાત કે એક મરનાર પાછળ હજાર ફરિયાદ નોંધાત. તમે કાંઈ એમ ને એમ મરો? કોઈને વાયદા આપીને કે કોઈની થાપણ રાખીને મરો. મરતા પહેલાંની કાર્યવાહી કઈ ? આ બધા દયાળુ એ કહે છે કે-“પાછળના રૂએ છે, તે દુ:ખ સહાતું નથી !” અરે બુદ્ધિના ભંડારો ! મૂર્ખ આગળ એવી વાતો કરો : ડાહ્યા ઍ વાત નહિ માને. બનાવ એવા બને છે કે ધીમે ધીમે ધર્મ-વિરોધી આત્માની મનોદશા સમજાયા વિના ન રહે. પણ તમે હજી સમજી શકતા નથી એ વાંધો છે. તમે જો સમજો તો ધર્મ માટે શું કરાય, શું ન કરાય તે હસ્તામલકવતું દેખાય. એ લોકો કહે છે કે-“સાધુઓ નિર્દય છે.” એ હું કહું છું કે-સાધુઓ જેવા જગતમાં કોઈ દયાળુ નથી. એ વાત ખરી કે ચાર જણના ચાર દિવસના રુદનથી એ નથી પીગળતા, પણ એને પીગળવામાં ભાવના અને હેતુ જુદા છે. સભાઃ “પબ્લિક એમ નથી જાણતી.” પબ્લિકને તો હમણાં સમજાવીએ પણ એને નહિ સમજવા દેનારા આપણા ઘરના જ ભૂવા છે. કાંઈ હોય નહિ છતાં એ ભૂવા ખોટાં માથાં ધુણાવે. જેની દયા દેખાડે એનાં જ ખિસ્સાં ખાલી કરાવે. વાત દયાની કરે પણ દયાનું
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy